ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી ઉત્સવ દરમિયાન લાગી આગ, ૧૩ દાઝ્યા

  • March 25, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભસ્મ આરતી વખતે ભક્તો હોળી રમી રહ્યા હતા તે દરમ્યાન ગુલાલ ઉડાલતા સળગતા કપૂર સાથે સંપર્કમાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં મંદિરના13 પૂજારી દાઝી ગયા હતા. મામલાને જોતા મંદિરના નંદી હોલને ખાલી કરાવવામાં આવ્યો હતો અને ભસ્મ આરતીમાં ભાગ લેનારા ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.


ગર્ભગૃહમાં આગ લાગતાની સાથે જ ત્યાં હાજર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ પછી, જિલ્લા હોસ્પિટલમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા પછી ચાર લોકોને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા અને બાકીના લોકોની સારવાર કરવામાં આવી રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application