સુભાષ શાક માર્કેટ પાસે દબાણ હટાવ ઝુંબેશમાં કોર્પોરેશનના અધિકારી અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી

  • February 01, 2025 11:36 AM 


જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ અભિયાન હાથ ધર્યુ છે, દશેક દિવસથી બર્ધનચોક, માંડવી ટાવર રોડ અને સજુબા ગર્લ્સ હાઇસ્કુલ વિસ્તારમાં દબાણ હટાવવા વારંવાર મેગા ડ્રાઇવ કરવામાં આવે છે, ગઇકાલે બપોર બાદ બર્ધનચોકમાંથી પોલીસની હાજરીમાં ૧૧ રેકડીઓ અને ૩૦ પથારા જપ્ત કરતા વેપારીઓ અને એસ્ટેટ શાખાના અધિકારીઓ વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી.
એક તબકકે દરબારગઢ ચોકીના પીએસઆઇ રાઠોડની હાજરીમાં દબાણ નીરીક્ષક અધિકારી અનવરભાઇ ગજણ દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી હતી ત્યારે સંખ્યાબંધ ફેરીયાઓ આવી ગયા હતાં અને ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો, વેપારીઓએ એવું કહ્યું હતું કે, અન્ય વિસ્તારોમાંથી દબાણ હટાવાતા નથી અને બર્ધનચોકને ટાર્ગેટ કરવામાં આવે છે, પરંતુ કોઇપણ દબાણને વશ થયા વીના એસ્ટેટ અધિકારીઓએ કામગીરી ચાલું રાખી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application