જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2023 ની સાલમાં એક સગીરાના અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ નો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અપહરણના ગુનામાં મદદગારી કરનાર આરોપી તરીકે મોરબી તાલુકાના ઉંટબેટ શામપર ગામના ઇશાક સલીમભાઈ રાઠોડ, અને તેના પિતા સલીમ ઇબ્રાહિમભાઈ રાઠોડ ને સહ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, અને તે બંને ફરાર થઈ ગયા હતા.
દરમિયાન ઉપરોક્ત આરોપીઓ મોરબી પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ સૌપ્રથમ મોરબી પંથકમાં ધામા નાખી આરોપી ઇશાક સલીમ રાઠોડ ને ઝડપી લીધો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો.
ત્યારબાદ તેના પિતા સલીમ ઇબ્રાહીમભાઇ રાઠોડ, કે જે પણ ફરારી રહ્યા હતા, જેને ગઈકાલે રાત્રે ભાદરા પાટિયા પાસેથી ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવ્યા બાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech