જેતપુરમાં ગોંદરા વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરનાર ધીરૂભાઈ રાણાભાઇ પરમાર (ઉ.વ 42) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભીમ માલવીયા તેના બે પુત્રો તેનો ભાઈ અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
ધીરૂભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના બારેક વાગ્યે તે તથા તેમના મિત્ર ઘેલાભાઈ રાતડીયા,રામાભાઇ રબારી માલ ઢોર લઈ ડેડરવા ગામની સીમમાં માલ ઢોરને ચરાવવા માટે લઈ ગયા હતા. બાદમાં સાંજના પાંચેક વાગ્યે પરત આવતા હતા. ત્યારે જીથુડી હનુમાનજી કેનાલ તરફ જતા અહીં કારખાના નજીક પહોંચતા જેતપુરનો ભીમ માલવીયા તેના બે પુત્ર ધીરૂભાઈ પાસે આવી ગુસ્સાથી કહેવા લાગ્યા હતા કે, માલઢોર લઈ આ રસ્તેથી ચાલવું નહીં અહીંથી જતા રહો જેથી ધીરુભાઈએ કહ્યું હતું કે અમારે માલઢોર લઈને ક્યાં જવું? ત્યારબાદ આ બંને અહીંથી જતા રહ્યા હતા.
થોડીવાર બાદ ભીમ ભાઈ તેના બંને પુત્ર ધીરૂભાઈ પાસે આવી ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. ભીમ અને પુત્રના હાથમાં કુહાડો હોય જે કુહાડોના હાથો ધીરૂભાઈને વાસાના ભાગે મારવા જતા તે હટી જતા માથામાં લાગી જતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં આ શખસો અહીંથી જતા રહ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech