ટીઆરપી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાનું પણ મોત

  • June 08, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાએ દેહ છોડી દેતા પરિવારમાં આક્રદં સર્જાયો છે. યુવાન પુત્ર ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો એને પહેલો જ દિવસ થયો અને આગકાંડનો ભોગ બન્યો હતો. ૧૫ દિવસમાં એક જ ઘરમાંથી પિતા–પુત્રની અર્થી ઉઠતા પરિવાર ઉપર આભ ફાટી પડું છે.
બનાવની પ્રા વિગત મુજબ રાજકોટમાં જૂની કલેકટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા જશુભા હેમુભા જાડેજા (ઉ.વ.૬૫) નામના પ્રૌઢ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક જશુભાને સંતાનમાં પાંચ દીકરા છે જેમાં વિશ્વરાજ (ઉ.વ.૨૩)નું ગત તા.૨૫૫ શનિવારના ટીઆરપી ગેમ ઝોનમાં અિકાંડ મોત નીપયું હતું. જે દિવસે અિકાંડ બન્યો એ દિવસ વિશ્વરાજ માટે નોકરીનો પ્રથમ જ દિવસ હતો. બપોરે એક વાગ્યે ઘરેથી નીકળી ટીઆરપી ગેમઝોનમાં નોકરી પર ગયો હતો અને સાંજે પાંચ વાગ્યે દુર્ઘટના બની હતી. પરિવારના કહેવા મુજબ વિશ્વરાજની સગાઇનું પણ મહિના પહેલા નક્કી કયુ હતું. પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજુર હોઈ તેમ અિકાંડમાં યુવાન દીકરો જીવતા ભડથું થયો હતો. જશુભાને કિડનીની પણ બીમારી હોઈ અને પુત્ર વિશ્વરાજને યાદ કરતા હતા પુત્રનો વિયોગ સહન ન થતા આઘાતમાં મુત્યુ થયું હતું. હજુ જે પુત્રની ક્રિયાની વિધિ પુરી કરી ન કરી ત્યાં પિતાના મૃત્યુથી પરિવાર શોકમાં ગરક થયો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application