ડ્રોનથી પાક સંરક્ષણ દવા છંટકાવ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ડ્રોનથી છંટકાવનો લાભ લેવા માટે લાભાર્થીએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે. જે માટે તા.૧૫/૦૨/૨૦૨૪ સુધીમાં ઓન લાઇન અરજી કરવાની રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી રાજકોટની યાદીમા જણાવાયું છે.
શું છે યોજના ?
કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ફાર્મ મિકેનાઇઝેશન દ્રારા ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવા માટે અને પાક સંરક્ષણ માટે વિવિધ રસાયણ/નેનો યુરિયા/ FCO માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરનો છંટકાવ કરવામાં આવે છે. આ પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે, જેની સામે છંટકાવની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે. છંટકાવની અસરકારકતા વધારવા માટે તથા ખેત મજૂરની અછત જેવી સમસ્યાનું નિવારણ લાવવા વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકારશ્રી દ્વારા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ (કૃષિ વિમાન) અંગેની યોજના અમલમાં મુકવામા આવેલ છે. જેના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ પણ થશે.
કોને સહાય મળવા પાત્ર છે ?
આ યોજનામાં લાભાર્થી સહાય હેઠળના ઘટકો માટે ડ્રોન દ્વારા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યુરિયા/ FCO માન્ય પ્રવાહી ખાતરો/ જૈવિક ખાતર છંટકાવનો સમાવેશ થાય છે. જેમાં ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર/ પ્રતિ છંટકાવ તેમજ ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
ખેડૂતોને શું થશે ફાયદો ?
ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech