સુત્રાપાડા: લોઢવા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી બમણો નફો પ્રાપ્ત થયો

  • August 08, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથ જિલ્લ ાના ખેડૂતો હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી રહ્યા છે. જેમાં સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ખેડૂત જાદવભાઇ ભોળાએ છેલ્લ ા પાંચ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પોતાની જમીનમાં મગફળી, બાજરી, કઠોળ સહિતના પાકોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. તો સાથો સાથ ગૌ આધારિત પ્રોડકટ બનાવી તેનું બજારમાં વેચાણ કરી લાખો પિયાનો વેપાર કરી રહ્યું છે.
લોઢવાના ખેડૂત જાદવભાઇ રામભાઇ ભોળાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા બે એકર જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શ કરી હતી. પ્રાકૃતિક ખેતી કરતા થયાને પાંચ વર્ષ થઇ ગયા છે. પરંતુ પ્રાકૃતિક અનાજ, કઠોળ અને ગૌ આધારિત વસ્તુઓ બનાવી તેનું બજારમાં વેચાણ કરી લાખો પિયાની આવક મેળવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મળે છે. કારણ કે, રાસાયણિક ખેતીથી એક વર્ષમાં પિયા ૩૫ થી ૪૦ હજારનો ખર્ચ થતો હતો અને તેની સામે આવક ૯૦ હજારની થતી હતી. પરંતુ યારેથી પ્રાકૃતિકમાં ઓછા ખર્ચે વધુ આવક થઇ છે.
જેમાં એક વર્ષમાં માત્ર ૫ થી ૭ હજાર પિયાનો ખર્ચે થાય છે. યારે તેની સામે ઉત્પાદન ા.૧ લાખથી વધુનું ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતી થકી તૈયાર થયેલા અનાજ, કઠોળ, બાજરીનું વેચાણ તેમના ભાવે ઘરેથી લોકો ખરીદી જાય છે અને લોકોને પણ રાસાયણિક મુકત અનાજ, કઠોળ સહિતની વસ્તુઓ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application