ઉપલેટામાં ગ્રામ્ય પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાના એક વર્ષ પહેલાના કેસમાં ધોરાજી સ્પેશિયલ કોર્ટ પીડિતાના કુટુંબીક કાકાને 20 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ તેમજ પીડિતાને સરકાર તરફથી રૂપિયા 7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, ઉપલેટા પંથકની 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી કુટુંબીક કાકા ખીરસરા ગામે રહેતો ભરત ઉર્ફે રાજ ચનાભાઇ ચાવડા નામના શખ્સ સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. તેમાં પોલીસે ભરત ઉર્ફે રાજ ચાવડાની ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડીતા રાત્રે ઘરે કોઈ ન હોવાથી પિતા અને તેની બહેન શોધવા માટે બહાર નીકળ્યા ત્યારે પીડિતા ઘરે આવતા પિતાએ પૂછેલું હતું કે શું બન્યું છે તો ભોગ બનનારે પોતાના ઉપર ભરત ઉર્ફે રાજ ચાવડાએ દુષ્કર્મ આચર્યાની આપવિતી જણાવી હતી, અને પિતા કુટુંબીક ભાઈને ઠપકો આપવા માટે ગયા ત્યારે પાછળથી એસિડ પી લીધું હતું. બાદ તપાસ પૂર્ણ થતા ભરત ઉર્ફે રાજ ચાવડાને જેલ હવાલે કર્યો હતો અને તપાસ દ્વારા ધોરાજી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવામાં ફરિયાદી, તપાસનીશ, પંચો, સાહેદો, તબીબોને તપાસવામાં આવેલા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી ભરત ઉર્ફે રાજ ચના ચાવડાને બંને પક્ષની દલીલો સાંભળી અને તારણ ઉપર આવેલા હતા કે સરકાર પક્ષે રજૂ કરેલ પ્રકાશ વિરુદ્ધ સ્ટેટ તથા જર્નીલસિંગ વિરુદ્ધ સ્ટેટના ચુકાદાના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લેતા સરકાર પક્ષ તરફથી ભોગ બનનારની જન્મ તારીખ નિ:શંક પણે પુરવાર થયેલી છે. તેવા સંજોગોમાં તેની કોઈ સહમતી માની શકાય નહીં, ભોગ બનનારે અદાલત સમક્ષ રડતા રડતા જૂબાની આપેલી કે, "આને મારી જિંદગી બગાડી છે તેને સજા કરો" અને આ તમામ સંજોગો રજુ થયેલા પુરાવા ફોરેન્સિક સાયન્સના અહેવાલને ધ્યાને લઈ અને જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી ભરત ઉર્ફે રાજ ચના ચાવડાને ગુનેગાર ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ભરપાઈ કરવા અને ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી કાર્તિકેય પારેખ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech