15 દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરતા 26 લોકોના મોત થયા હતા. આ હુમલાનો બદલો ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરીને લઈ લીધો છે. ભારતના આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્યારે પહેલગામના આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું હતું. આજે ભારતના બદલા પર ભાવનગરના આ પરિવારે જણાવ્યું હતું કે, ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકને સાચી શ્રદ્ધાંજલિ માનીએ છીએ. મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ અને પુત્રને આજે ન્યાય મળ્યો...
પહેલગામ હુમલામાં ભાવનગરના યતિષભાઈ પરમાર અને સ્મિત પરમારનું મોત થયું હતું. મૃતક યતિષ પરમારના પત્ની કાજલબેન પરમારે જણાવ્યું કે તેમને દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર ગર્વ છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહીથી તેમના પરિવારજનોના આત્માને શાંતિ મળશે. પરિવારજનોએ જણાવ્યું કે આતંકવાદીઓ સામે લેવાયેલા આ પગલાંથી તેમને સંતોષ થયો છે. આ કાર્યવાહીથી તેમના પરિવારના શહીદ સભ્યોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે.
ઓપરેશન સિંદૂર
પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ પછી ભારતે મંગળવારે રાત્રે 1:44 વાગ્યે 26 નિર્દોષ ભારતીયોની હત્યાનો બદલો લેવાનું શરૂ કર્યું હતું. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના પંજાબના બહાવલપુરના અહમદપુર અને મુરીદકે અને પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ અને કાશ્મીર (પીઓકે)ના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં નવ આતંકવાદી ઠેકાણાઓને તારાજ કર્યા છે. સંરક્ષણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને સંચાલન કરવામાં આવતું હતું. મોડી રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં સંરક્ષણ મુખ્યાલયના વૉર રૂમમાંથી કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાના હુમલા પછી સવારે 2:46 વાગ્યે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ભારત માતા કી જય!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech