રાજકોટ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના પ્રેમી પંખીડાએ સજોડે ભાગી જઈ અને ફરિય ાદ થતાં પોલીસ મથકે રજૂ થયા એ સમયે બોગસ એલસી (લિવિંગ સર્ટિફિકેટ) રજૂ કર્યાના બનાવમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા ઝીણવટ અને તલસ્પર્શી તપાસ અંતે ભાંડો ફૂટયો હતો. સરકાર પક્ષે હેડ કોન્સ્ટેબલે બોગસ એલસી રજૂ કરનાર તેમજ બનાવનાર કે તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત માસે સગીરાનું અપહરણ થયાનો ગુનો નોંધાયો હતો. જે ફરિયાદ તપાસમાં પોલીસે ગુમ સગીરાને શોધી કાઢી હતી સાથે સગીર વયનો તેનો પ્રેમી પણ સપડાયો હતો. જે તે સમયે સગીર પ્રેમી યુગલ પોલીસ અને અન્ય કાયદાકીય જાળમાંથી બચવા માટે સગીર નહીં પરંતુ પુખ્તવયના હોવાનું પોતાની મરજીથી ગયા હોવાની વાત સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. પોલીસે સર્ટિફિકેટ સ્વીકારી કાર્યવાહી કરી હતી.
પોલીસને જે-તે સમયે જ કંઈ ખોટું હોવાનું દેખાયું હતું. સગીરાની પૂછતાછ કરતા તેણે કબૂલ્યું હતું કે સર્ટિ. ખોટું બનાવેલું છે તેની સખીના સર્ટિ. પર પોતાનું નામ લખાયેલું છે. સમગ્ર કાંડ સગીરાના પિતાએ જ અન્ય કોઈની મદદથી કર્યાનું પોલીસને જાણવા મળ્યું હતું. દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવા પોલીસે કવાયત કરી હતી. થોરાળા વિસ્તારની એ સ્કૂલમાં સર્ટિફિકેટ વિશે તપાસ કરતા સર્ટિ. અન્ય વિદ્યાર્થિનીનું હોવાનું ફલિત થયું હતું.
જે-તે સમયે અપહરણની ફરિયાદમાં આ ખોટું સર્ટિ. રજૂ કરાયું હતું. પોલીસે તપાસ દરમિયાન સગીરાના કથન આધારે તેના પિતાની પૂછતાછ કરી હતી. સર્ટિ. પિતાએ જ રજૂ કરાવ્યાનું ફલિત થયું હતું. જમાદાર રાજેશભાઈ મિયાત્રાએ દસ્તાવેજી આધાર પુરાવા સાથે સગીરાના પિતા તેમજ તપાસમાં ખુલે તેની સામે આઈપીસી ૪૬૫, ૪૭૧ હેઠળ સરકાર પક્ષે ફરિયાદી બનીને ગુનો નોંધાવી સગીરાના પિતાની ધરપકડ કરી પીએસઆઈ મશાક પુત્ર તથા સ્ટાફે તજવીજ આરંભી છે.
સગીરાનો વૈજ્ઞાનિકઢબે ટેસ્ટ કરાવીને પણ પુરાવા મેળવાયા
તપાસનીસ યુનિવર્સિટી પોલીસ દ્વારા સ્કૂલમાંથી બોગસ સર્ટિ. હોવાના પુરાવા મેળવી લેવાયા હતા. સગીર યુગલના સ્ટેટમેન્ટ ઉપરાંત અન્ય આધારો મેળવાયા હતા. સગીરાનો કયારે કયાં જન્મ થયો? હાલ કેટલા વર્ષની છે તેવા કોઈ સગીરા કે તેના પરિવાર પાસે બર્થ સર્ટિ. કે આવા કોઈ દસ્તાવેજી પુરાવાઓ હતા નહીં માટે સગીરા ખરેખર સગીર વયની છે કે સર્ટિ.માં દર્શાવ્યા મુજબ ૧૮ વર્ષની પુખ્ત થઈ ગઈ છે? તે સ્પષ્ટ અને દસ્તાવેજી પુરાવા મેળવવા માટે સગીરાનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૈજ્ઞાનિકઢબે ટેસ્ટ કરાવાયો હતો. જે રિપોર્ટમાં પણ સગીરા હજી પુખ્ત ન હોવાનું ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech