રણછોડનગરમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને કારખાનેદારનો ફાંસો ખાઈ આપઘાત

  • June 15, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સામાકાંઠે રણછોડનગરમાં રહેતા અને અટિકામાં કારખાનું ધરાવતા યુવકે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે બી-ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. કારખાનેદાર પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી છે જેમાં તેમને કેટલાક લોકોને પૈસા આપ્યા છે એ પરત ન આપતા પોતે અંતિમ પગલું ભરી રહ્યાનું લખ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રણછોડનગર 16/4ના ખૂણે રહેતા મૌલિકભાઈ યોગેશભાઈ બાબિયા (ઉં.વ. 33) નામના યુવકે પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખામાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકના માતા સવારે રૂમમાં સફાઈ કરવા માટે ઉપર જતા પુત્રને લટકતી હાલતમાં જોઈ દેકારો કરતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને તાકીદે નીચે ઉતારી 108ને જાણ કરતા 108ની ટીમએ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બી-ડિવિઝન પોલીસને જાણ થતા બનાવના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડ્યો હતો.
યુવક ત્રણ બહેન અને એક ભાઇમાં સૌથી નાનો હતો. છ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. મૃતકને અટિકામાં લેઝર ફિટિંગનું કારખાનું ધરાવે છે. આપઘાત પૂર્વે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી જેમાં કેટલાક વ્યક્તિઓના નામ લખ્યા છે અને તેને પૈસા આપ્યા બાદ અવાર નવાર પાછા માગવા છતાં પરત આપતા ન હોઈ જેના લીધે સ્યુસાઇડ કર્યો હોવાનું પરિવાર પાસેથી જાણવા મળ્યું છે. યુવકે પૈસા વ્યાજે આપ્યા હતા જે હાથ ઉછીના જે અંગે સ્યુસાઇડ નોટના આધારે બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application