સોમનાથ-વેરાવળમાં એફ.એમ. રેડિયો રિલે સેન્ટર ૨૮ એપ્રિલથી કાર્યરત થશે

  • April 26, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ભૂમિ ઉપર વેરાવળ-પાટણ રોડ મધ્યે આવેલ એફ.એમ. રેડિયો રીલે સેન્ટર તા.૨૮ એપ્રિલથી કાર્યરત થશે.
જેનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ કરાય તેવી સંભાવના છે. ૧૨થી ૧૫ કિલોમીટરની સિટી ત્રિજયાને આવરી લેતું આ સ્ટેશન લાંબો સમય સુધી માત્ર મર્યાદિત કલાક સુધી જ ટેસ્ટિંગ રીતે ચાલતું હતું.
​​​​​​​
લોકાપર્ણ થયા બાદ દરરોજ સવારે ૫.૫૫થી રાત્રે ૧૧.૫ સુધી મુંબઈ વિવિધ ભારતીના રેડિયા કાર્યક્રમો મનોરંજન, ફિલ્મીગીતો, સાંસ્કૃતિક ગીતા પીરસતું રહેશે.
૧૦૦-૧ ફ્રીકવન્સી ઉપર આ રેડિયોનું પ્રસારણ રેડિયો ટ્રાન્ઝીસ્ટર, મોબાઈલ અને ટ્રેન જહાજોમાં નિયત અંતર સુધી સાંભળી શકાશે.
આખરે રેડિયો સ્ટેશન શ‚ થતાં રેડિયો શ્રોતાઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application