ભાટીયામા રવિવારના રોજ ૧૧૫ મો મોતીયાના ઓપરેશનનો નેત્ર નિદાન કેમ્પ

  • February 22, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ -ભાટીયાના આર્થિક સહયોગથી આયોજીત  અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ(આંખની) હોસ્પીટલ-રાજકોટ ના નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા  નિદાન કરવામાં આવશે. તા.૨૩/૦૨ના  રવીવારના મોતીયાના ઓપરેશન સાથે *૧૧૫* *મા કેમ્પ નુ આયોજન * ભાટીયા ખાતે સરકારી દવાખાનામા સવારે ૯થી૧૧  વિના મૂલ્યે રાખવામા આવેલ છે. જેમા આંખના દર્દીઓનુ નિદાન કરી જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આવશે તથા મોતીયાના ઓપરેશન ની જરૂરીયાતવાળા દર્દીઓને  રણછોડદાસબાપુ હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ, આધુનીક ફેકૌ મશીન દ્વારા ટાંકા વગરનુ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપવામા આવશે તથા દર્દીઓને,રહેવા,જમવા, ચા-નાસ્તો,ચશ્મા,દવા-ટીપા,તથા ઓપરેશનની તમામ સારવાર વિના મુલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા ખાતે પરત મુકવામા આવશે.


દરેક દર્દી ભગવાને આધાર કાર્ડ ની ઝેરોક્ષ બે કોપી ફરજીયાત સાથે લાવવાની રહેશે. કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ-કિશોરભાઈ દત્તાણીએ જાહેર આમંત્રણ આપી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરેલ છે. આ કેમ્પમા ચશ્માના નંબર કાઢી આપવામા આવશે નહી. વધુ માહીતી માટે મો.-૯૪૨૭૪૨૦૧૧૧ નો સંપર્ક કરવો. નોંધઃ દર મહીનાના છેલ્લા રવીવારે ભાટીયા ખાતે કેમ્પ નક્કી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application