જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાંથી રાજકીય પક્ષના ૬૫૬ હોર્ડિંગ- પોસ્ટરો ઉતારાવાયા

  • March 19, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાહેર સ્થળોએથી ભીતચીત્રો ઉપર કાળો કલર લગાવી દેવાયો: ૫૬ લાઇટીંગ બોર્ડ હટાવાયા

આગામી લોકસભાની ચૂંટણીને લઈને જામનગર શહેરમાં આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ કરી દેવાયો છે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી ત્રણ ટુકડીઓ બનાવીને રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારના બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરી દેવાયું હતું, જેમાં ૬૫૬ જેટલા હોર્ડીગ્સ, લાઇટીંગ બોર્ડ, ભીતચીત્રો, પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે.
સીટી ઇજનેર ભાવેશ જાનીની સુચનાથી એસ્ટેટ શાખાના વડા નિતીન દીક્ષીત, સુનીલ ભાનુશાળી સહિતના અધિકારીઓએ શરુ કર્યુ હતું, ત્રણ દિવસના સમય ગાળા દરમિયાન લાલ બંગલા સર્કલથી એરોડ્રોમ સુધીના માર્ગે લગાવેલા હોર્ડિંગ- બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરાયું હતું. તે જ રીતે પંડિત નહેરુ માર્ગથી ગુલાબનગર સુધીના માર્ગે તથા સાધના કોલોનીથી રણજીતસાગર સુધીના માર્ગ પર લગાવવામાં આવેલા કુલ ૬૫૬ હોર્ડિંગ, બેનર, પોસ્ટર વગેરે ઉતારી લેવાયા છે. આ કાર્યવાહીમાં ૪૮૮ ભીતચીત્રો દુર કરવામાં આવ્યા હતાં, અત્યાર સુધીમાં ૬૫૬ બેનર, પોસ્ટર, ભીત ચીત્રો દુર કરાયા છે જેમાં ૫૬ લાઇટીંગ બોર્ડ, ૪૦ બેનર અને ૪૨ પોસ્ટર પણ દુર કરી દેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં હજુ પણ જાહેર સ્થળોએ હોર્ડીંગ્સ, ભીત ચીત્રો કે અન્ય બેનર દેખાશે તો તે તાત્કાલીક અસરથી દુર કરી દેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application