આ રીત અપનાવી પેડીક્યોર કરીને વધારો પગની સુંદરતા

  • May 28, 2024 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચહેરાને સુંદર રાખવા માટે મહિલાઓ માત્ર પાર્લરમાં જતી નથી પરંતુ ઘરે પણ વિવિધ ઘરેલું ઉપાયો અપનાવતી હોય છે.પણ જ્યારે પગની કેર કરવાની વાત આવે છે, ત્યારે તેને ઘણીવાર અવગણવામાં આવે છે. જેના કારણે પગની ત્વચા ન માત્ર શુષ્ક થઈ જાય છે અને તિરાડ પડવા લાગે છે પણ જાડી પણ થઈ જાય છે અને કાળી થવા લાગે છે. સામાન્ય રીતે તેમના પગની સુંદરતા જાળવવા માટે, મહિલાઓને પાર્લરમાં મોંઘા પેડિક્યોર કરાવવા પડે છે. જેથી તેમના પગની ત્વચા નરમ અને ચમકદાર રહે છે. પરંતુ આ પેડિક્યોર ઘણો સમય લે છે. જો તમે પૈસા ખર્ચ્યા વિના પગની ત્વચાને નરમ અને ચમકદાર રાખવા માંગો છો, તો ઘરે જ ટૂથપેસ્ટ પેડિક્યોર ટ્રાય કરવું જોઈએ.. ટૂથપેસ્ટ પેડિક્યોર પગમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં અને ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે. જેના કારણે પગ ચમકવા લાગે છે. નિયમિતપણે આ પેડિક્યોર કરવાથી પગમાં થતી બળતરા પણ મટી જાય છે. જાણો ટૂથપેસ્ટ પેડિક્યોર કેવી રીતે થાય છે.


ટૂથપેસ્ટ પેડિક્યોર માટે જરૂરી વસ્તુઓ:


-1 ચમચી ટૂથપેસ્ટ


-1 ટેબલસ્પૂન ગુલાબજળ


-1 ચમચી ચોખાનો લોટ


-1 ટેબલસ્પૂન એલોવેરા જેલ


-1 જૂનું ટૂથબ્રશ


ટૂથપેસ્ટ પેડિક્યોર કરવાની રીત-


ટૂથપેસ્ટ પેડિક્યોર કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ટૂથપેસ્ટ, ગુલાબજળ, ચોખાનો લોટ, એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ તૈયાર કરેલી પેસ્ટને પગ પર લગાવો. તે પછી ઓછામાં ઓછા 5 મિનિટ માટે ટૂથબ્રશની મદદથી આ પેસ્ટથી પગને સ્ક્રબ કરો. સ્ક્રબિંગ કર્યા પછી પગને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો. થોડા સમય પછી પગને સારી રીતે ધોઈ લો અને તેને ટુવાલ વડે સારી રીતે સૂકવી લો. ત્યાર બાદ ઘીથી પગને હળવા હાથે મસાજ કરો. આ રીતે પેડિક્યોર કરવાથી પગની ડેડ સ્કિન સાફ થઈ જશે અને પગ ચમકદાર અને સુંવાળા બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application