રાજકોટમાં રખડું ઢોરનો ત્રાસ નિવારવા મનપામાં ઇમરજન્સી મિટિંગ; પોલીસ કમિશનરની હાજર

  • October 30, 2023 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં રખડું ઢોરનો ત્રાસ નિવારવા માટે આજે મહાપાલિકા કચેરીમાં બપોરે ૨–૦૦ કલાકે એક ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી જેમાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાઇકોર્ટ ની ફટકાર અને સરકાર ના આદેશ બાદ આજે રાજકોટ મહાપાલિકા અને પોલીસ તંત્રએ સંયુકત મિટિંગ યોજી એકશન પ્લાન તૈયાર કરવા ચર્ચા વિચારણા કરી હતી.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ ઉપરોકત મિટિંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ભાઈ ઠાકર, શાસક નેતા લિલુબેન જાદવ, શાસક દંડક મનીષભાઇ રાડિયા સહિતના પદાધિકારીઓ તેમજ કમિશનર, ડેપ્યુટી કમિશનર નંદાની, વેટરનરી ઓફિસર ડો. જાકાસનીયા સહિતના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગમાંથી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ડીસીપી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application