રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર સ્થાન છે પરંતુ લુખ્ખાઓ માટે સવલતનું શેલટર હોમ બની ગઈ છે, હોસ્પિટલ કેમ્પસમાં મંજૂરી વિના ધમધમતા બે બે અન્નક્ષેત્રોના કારણે સ્લમ વિસ્તારમાં રહેતા, રખડતું ભટકતું જીવન જીવતા, ફટપાથ પર આળોટતા, દાડિયાઓ સહિતના તત્વો સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ હોસ્પિટલમાં માત્રને માત્ર મફતનું ચટાકેદાર જમવા અને સુવા માટે આવી ધ્યાન પડે ત્યાં પોતાના મલ્લિન ઈરાદાઓ પણ પાર પાડી રહ્યા છે. અન્નક્ષેત્રોના કારણે હોસ્પિટલ કેમ્પસમાં ન્યુસન્સ વધતા લોકોના જાનમાલને નુકશાન થઇ રહ્યું હોવાના કિસ્સા પણ વધી રહ્યા છે.
બે દિવસ પૂર્વે જ અગાઉ દાની કોથળીના બાચકા સાથે પકડાયેલો અને રખડતું ભટકતું જીવન જીવતા શખ્સએ નર્સના ગળાના ભાગે છરી રાખી લૂંટ કરવા પ્રયાસ કર્યેા હતો જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જે બાદ હોસ્પિટલ સિકયોરિટી કેમ્પસમાં રાઉન્ડમાં નીકળી યાં ત્યાં સુઈ રહેલા લોકોને જગાડી કોઈ સ્વજન દાખલ છે કે કેમ પૂછવામાં આવતા એવા મહિલાઓ સહીત ૧૫થી લોકો નીકળ્યા હતા કે જેમના કોઈ સ્વજન કે પરિચિત દાખલ ન હોઈ, આવા તત્વોને હાંકી કાઢવામાં આવ્યા હતા જયારે ગત રાત્રીના અને આજે સવારે પણ સિકયોરિટીની ટીમે ચેકીંગ હાથ ધરતા ૨૫ જેટલા લોકો માત્ર અન્નક્ષેત્રમાં જમવા અને સુવા માટે જ આવ્યા હોવાનું સામે આવતા તમામને પકડીને પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવતા પીઆઇ ભાર્ગવ ઝણકાંતની સૂચનાથી તાકીદે સ્ટાફએ હોસ્પિટલ પહોંચી લુખ્ખા તત્વોને પોલીસ મથકે લઇ જઈ કાર્યવાહી કરી હતી
રીક્ષા ભરી સાગમટે અન્નક્ષેત્ર સુધી જમવા આવે
હોસ્પિટલની જગ્યામાં પાક્કા બાંધકામ સાથે બાંધેલા બે અન્નક્ષેત્રોમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ત્રણ ટાઈમ ભોજન લઇ રહ્યા છે. સેવાકીય કામગીરી ખુબ સારી કહી શકાય પરંતુ આ સેવા હોસ્પિટલ માટે પીડાદાયક બની છે, સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર ચાલતા હોવાની જાણ લગભગ હવે બહારથી રાજકોટ આવતા લોકોને હોવાથી સ્પેશિયલ જમવા માટે હોસ્પિટલમાં આવે છે. એટલું જ નહીં ઝુપડપટ્ટી સહિતના સ્લમ વિસ્તારમાં રહેતા પરિવાર સ્પેશિયલ રિક્ષા બાંધી સાગમટે જમવા માટે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જતા હોવાનું પણ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech