ધ્રોલમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇએ મતદાન કર્યુ : સભ્યો દ્વારા કરાતું મતદાન
તાજેતરમાં જામનગર બાર એસો.ની ચુંટણી પુર્ણ થઇ હતી અને નવા હોદેદારોને ચુંટી કાઢવામાં આવ્યા હતા, દરમ્યાનમાં આજરોજ ધ્રોલ, જોડીયા સહિતના તાલુકાની બાર એસો.ની ચુંટણીમાં મતદાન કરવામાં આવી રહયું છે.
આજરોજ ધ્રોલ ખાતે બાર એસોની ચુંટણી યોજવામાં આવી હતી, જેમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યુ હતું, ધ્રોલ બાર એસો.ની ચુંટણીમાં કુલ ૫૩ મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહયું છે, પ્રમુખ પદ માટે ૪ ઉમેદવાર જેમાં એડવોકેટ સંજયભાઇ નકુમ, વસંતભાઇ છત્રોલા, બલીભાઇ તેમજ સુનિલભાઇ ગોસ્વામીનો સમાવેશ થાય છે.
ઉપપ્રમુખ માટે અરવિંદભાઇ ભીમાણી તેમજ સુનિલભાઇ ગોસ્વામી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલ છે, ધ્રોલ બાર એસો.ની ચુંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી, ગણતરી બાદ નવા હોદેદારો જાહેર કરાશે.
ધ્રોલ ઉપરાંત જોડીયા, લાલપુર, કાલાવડ, જામજોધપુર તાલુકામાં પણ આજરોજ બાર એસોના નવા હોદેાદરોને ચુંટી કાઢવા મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech