કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલના મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમ યોજાયો

  • July 15, 2024 11:09 AM 

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલના મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમ યોજાયો


કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમ યોજાયો;બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું

સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી, લોકો જીવનના ભાગ તરીકે વૃક્ષારોપણને અપનાવે - મંત્રી રાઘવજીભાઈ પટેલ

વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરાયાં

હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મોટા ઇટાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં મોટા ઇટાળા, બીજલકા સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી  રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમમાં સહભાગી થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિત સૌને આહવાન કરતા જણાવ્યું હતું કે લાકડું, દવા, ફળ, ઓક્સિજન સહિતની અમૂલ્ય પેદાશો આપતાં વૃક્ષો સંત સમાન છે.વૃક્ષારોપણ માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી ભળશે તો જ ધાર્યું પરિણામ મળી શકશે.આથી માત્ર કાર્યક્રમ પૂરતા જ નહીં પરંતુ જીવનના એક ભાગ તરીકે લોકો વૃક્ષો વાવે અને તેનું જતન કરે એ આજ અને આવતીકાલ માટે ખૂબ જરૂરી છે.વધુમાં વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય  મેઘજીભાઈ ચાવડાએ પ્રસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે વૃક્ષો અતિ મૂલ્યવાન છે.વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનું જતન થાય એ આજના સમયની માંગ છે.તેમ જણાવી જીવનમાં આવતા સારા-નરસા પ્રસંગે સૌને અવશ્ય એક વૃક્ષ વાવવા ધારાસભ્યશ્રીએ આહવાન કર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ વડાપ્રધાનશ્રીના 'એક પેડ માઁ કે નામ' અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી  વી.ડી.સાકરીયા, મામલતદાર તન્વી ત્રિવેદી, આગેવાન સર્વ  રાવતભાઈ શિયાર, નવલભાઈ મૂંગરા, મનસુખભાઇ ચભાડીયા, દેવકરણભાઈ ભાલોડીયા, મયુરસિંહ જાડેજા, વિજયભાઈ કાસુન્દ્રા, ડી.ડી.જીવાણી, પોલુભા જાડેજા, જેન્તીભાઈ કગથરા, લવજીભાઈ તરાવીયા, મનસુખભાઇ ભંડેરી, બ્રિજરાજસિંહ જાડેજા, પિન્ટુભાઈ જાડેજા, અંકુલભાઈ ડાંગરીયા, માર્કેટિંગ યાર્ડના તમામ ડાયરેક્ટરઓ, સરપંચઓ તથા બહોળી સંખ્યામાં વૃક્ષ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application