બજેટ પહેલા સંસદમાં આર્થિક સર્વે રજૂ, જીડીપી 6.3 થી 6.8 ટકા રહેવાનો અંદાજ, ચીનની ઉત્પાદન ક્ષેત્રની નિર્ભરતા પર ચિંતા વ્યક્ત કરાઈ

  • January 31, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે. જીડીપી વૃદ્ધિ દર યથાવત રહેવાની અપેક્ષા છે. ગત વર્ષે, 22 જુલાઈ 2024ના રોજ આર્થિક સર્વેમાં ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકાથી 7 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો.


નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 2024-25 માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ છે. સર્વે મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. આર્થિક સર્વેમાં રોજગાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર અંગે ચેતવણી આપવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડા માટે બાહ્ય પડકારોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ સર્વેમાં નિકાસમાં ઘટાડા વિશે પણ વાત કરવામાં આવી છે. આર્થિક સર્વેમાં ચીન પર ઉત્પાદન ક્ષેત્રની નિર્ભરતા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વેમાં ઉદ્યોગોના નિયંત્રણ મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે.


સર્વે મુજબ, જીએસટી કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ૨૦૨૪-૨૫ માટે જીએસટી કલેક્શન ૧૧ ટકા વધીને ૧૦.૬૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં આવક વૃદ્ધિમાં મંદી જોવા મળી છે, જેના કારણે નાણાકીય વર્ષ 2025-26ના અંદાજો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નીતિગત સ્થિરતાને દૂર કરવા અને આર્થિક સુધારાઓને વેગ આપવા માટે સરકારે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.


નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આર્થિક સર્વે 2024-25 પણ રજૂ કર્યો છે. અગાઉ, અધ્યક્ષ જગદીપ ધનખડે આંધ્ર પ્રદેશ રાજ્યસભાના સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીનું ગૃહના સભ્યપદેથી રાજીનામું મળવાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, તેને સ્વીકારવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પછી લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, ગૃહના ચાર ભૂતપૂર્વ સભ્યો અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જય કાર્ટર જુનિયરના નિધન વિશે માહિતી આપી અને શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સર્વે રજૂ કર્યા બાદ ગૃહને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application