આસામના મોરીગાંવમાં 5ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી

  • February 27, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામના મોરીગાંવમાં ભૂકંપ્ના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આસામના મોરીગાંવમાં રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. વહેલી સવારે આવેલા ધરતીકંપ્ના પગલે લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે, આસામના મોરીગાંવમાં રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. જો કે તેનું કેન્દ્ર ક્યાં હતું તેની સંપૂર્ણ માહિતી હજુ સ્પષ્ટ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે 2.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 16 કિલોમીટર હતી. માત્ર મોરીગાંવ જ નહીં, ગુવાહાટી, શિલોંગ અને આસામના અન્ય ભાગોમાં પણ ભૂકંપ્ના આંચકા અનુભવાયા હતા. વિસ્તારોમાં ભૂકંપ્ના આંચકા અનુભવાયા બાદ લોકો ડરી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. જોકે, આના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રિક્ટર સ્કેલ પર પાંચની તીવ્રતાવાળા ભૂકંપ્ને મધ્યમ તીવ્રતાનો ભૂકંપ ગણવામાં આવે છે, જેમાં ઘરની અંદર રાખેલી વસ્તુઓમાં કંપ્ન અનુભવાય છે. આ તીવ્રતાના ભૂકંપમાં નજીવું નુકસાન થવાની શક્યતા છે.
જાન્યુઆરીની શરૂઆતમાં, આસામમાં પણ ભૂકંપ્ના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. ભૂકંપ્ના આંચકા હળવા હોવા છતાં, લોકો ગભરાઈ ગયા હતા. આ ભૂકંપ્નું કેન્દ્રબિંદુ મ્યાનમાર હતું અને તેની ઊંડાઈ 106 કિલોમીટર હતી.

દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપ અનુભવાયો હતો
17 ફેબ્રુઆરીએ દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપ્ના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહીં લોકો એલાર્મથી નહીં પણ પૃથ્વીના કંપ્નથી જાગી ગયા. ભૂકંપ સવારે 5.36 વાગ્યે આવ્યો હતો, તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી અને તેની ઊંડાઈ માત્ર 5 કિલોમીટર હતી. દિલ્હીનું ધૌલા કુઆન તેનું કેન્દ્ર હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application