છત્તીસગઢ દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મોટી કાર્યવાહી કરી છે અને 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીથી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલના પુત્રની આસપાસ સંકટના વાદળો ઘેરાઈ શકે છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના પરિસરમાં ઇડીએ દરોડા પાડ્યા છે. ઇડી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ દરમિયાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યનું નામ સામે આવ્યું હતું.
ઇડી આ મામલે પહેલાથી જ ઘણા એક્શન લઇ ચૂકી છે. અગાઉ, મે 2024 માં તપાસ એજન્સીએ ભૂતપૂર્વ આઈએએસ અનિલ ટુટેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની 205.49 કરોડ રૂપિયાની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી.
ઇડી દ્વારા જપ્ત કરાયેલી મિલકતોમાં ભૂતપૂર્વ આઈએએસ અનિલ ટુટેજાની 14 મિલકતોનો સમાવેશ થાય છે, જેની કિંમત 15.82 કરોડ રૂપિયા છે. જ્યારે, 115 મિલકતો અનવર ઢેબરની હતી, જેની કિંમત 116.16 કરોડ રૂપિયા હતી. આ સાથે વિકાસ અગ્રવાલની 3 મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા હતી. 33 મિલકતો અરવિંદ સિંહની હતી, જેની કિંમત 12.99 કરોડ રૂપિયા હતી. અરુણ પતિ ત્રિપાઠીની 1.35 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
ઇડીના જણાવ્યા અનુસાર, સીએસએમસીએલની રચના 2017 માં દારૂની ખરીદી અને વેચાણ માટે કરવામાં આવી હતી પરંતુ સરકાર બદલાતાની સાથે તે સિન્ડિકેટના હાથમાં એક સાધન બની ગયું. એવો આરોપ છે કે સીએસએમસીએલ સંબંધિત કામોના તમામ કોન્ટ્રાક્ટ ફક્ત આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકોને જ આપવામાં આવી રહ્યા હતા. ઇડીનો દાવો છે કે સિન્ડિકેટને ગેરકાયદેસર દારૂના વેચાણમાંથી 'મોટુ કમિશન' મળતું હતું, જે અનવર ઢેબરને આપવામાં આવ્યું હતું, જેણે પછી તે રાજકીય પક્ષ સાથે શેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech