મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કરી મોટી કાર્યવાહી, પાંચ રાજયમાં ૧૮ સ્થળે દરોડા

  • August 30, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈડીની ટીમ મની લોન્ડરિંગના મામલામાં સતત કાર્યવાહી કરી રહી છે. તપાસ એજન્સીએ ભ્રષ્ટ્રાચારમાં સંડોવાયેલા રાજકારણીઓ અને ઉધોગપતિઓ સામે આકરી કાર્યવાહી શ કરી છે.એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં ૫ રાયમાં ૧૮ સ્થળોએ દરોડા પાડા હતા અને કીમતી દસ્તાવેજો જ કરવા સહિતની કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે નકલી રજિસ્ટ્રી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ આક્રમક વલણ અપનાવ્યું છે.અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ દેશની રાજધાની દિલ્હી સહિત પાંચ રાયોમાં દરોડા પાડા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને આસામ એવા રાયો છે યાં ઈડીની ટીમે મની લોન્ડરિંગના કેસમાં પહોંચીને દરોડા પાડા છે.તાજેતરના દિવસોમાં,ઈડીએ ઘણા રાજકારણીઓ અને ઉધોગપતિઓ સામે કાર્યવાહી કરી છે જેઓ મની લોન્ડરિંગ કરતા પકડાયા છે. આ ઉપરાંત ભ્રષ્ટ્રાચારમાં સંડોવાયેલી તમામ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષેામાં મની લોન્ડરિંગના મોટાભાગના મામલા સામે આવ્યા છે, જેના કારણે ઈડીનું કામ પણ વધી ગયું છે. ઈડીની કાર્યવાહીને લઈને ઘણી વખત સવાલો ઉભા થાય છે. વિપક્ષ કહે છે કે આનો ઉપયોગ તેમને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ ઈડી પણ પોતાની કાર્યવાહીમાં મક્કમ પગલે આગળ વધી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application