જામનગરમાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસનું ઈ-લોકાર્પણ

  • February 10, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આવાસોના ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવાસ યોજનાની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને ચાવી અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં લાભાર્થીઓને ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application