ઉદ્યોગનગરના રેલ્વે ફાટક પાસેની દરગાહ આડે ખોદકામને લીધે જનાજો લઇ જવામાં પણ હેરાનગતિ થઇ હતી અને તે અંગે વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે દરગાહ આવેલી છે અને નગરપાલિકાના તંત્રએ પ્રિ-મોન્સુન કામગીરી કરવાના બદલે વરસાદી પાણી ભરાયા ત્યારે દરગાહ આડે કેનાલ ખોદી નાખી હતી ત્યારબાદ કેનાલ ઉપર પાઇપ મૂકીને નાળુ બનાવ્યુ નથી.
જેથી દરગાહ ખાતે જતા મુસ્લિમ બિરાદરો સહિત સોસાયટીના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે અને લાકડાના પાટીયા ઉપરથી જીવના જોખમે લોકો પસાર થઇ રહ્યા હતા અને તે અંગે સ્થાનિક રહેવાસી તસ્લીમભાઇ મન્સુરી દ્વારા નગરપાલિકાના તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હોવા છતાં કેનાલ ઉપર નાળુ મૂકયુ ન હતુ.
મંગળવારે દરગાહ ખાતે રહેતા પરિવારમાં નિધન થતા તેનો જનાજો કાઢવામાં પણ ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને સીમેન્ટના પાટીયા મૂકીને તેઓએ જનાજો કાઢયો હતો ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રની આ પ્રકારની ભેદભાવ ભરી નીતિ સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech