ઉદ્યોગનગરના રેલ્વે ફાટક પાસેની દરગાહ આડે ખોદકામને લીધે જનાજો લઇ જવામાં પણ હેરાનગતિ થઇ હતી અને તે અંગે વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે દરગાહ આવેલી છે અને નગરપાલિકાના તંત્રએ પ્રિ-મોન્સુન કામગીરી કરવાના બદલે વરસાદી પાણી ભરાયા ત્યારે દરગાહ આડે કેનાલ ખોદી નાખી હતી ત્યારબાદ કેનાલ ઉપર પાઇપ મૂકીને નાળુ બનાવ્યુ નથી.
જેથી દરગાહ ખાતે જતા મુસ્લિમ બિરાદરો સહિત સોસાયટીના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે અને લાકડાના પાટીયા ઉપરથી જીવના જોખમે લોકો પસાર થઇ રહ્યા હતા અને તે અંગે સ્થાનિક રહેવાસી તસ્લીમભાઇ મન્સુરી દ્વારા નગરપાલિકાના તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હોવા છતાં કેનાલ ઉપર નાળુ મૂકયુ ન હતુ.
મંગળવારે દરગાહ ખાતે રહેતા પરિવારમાં નિધન થતા તેનો જનાજો કાઢવામાં પણ ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને સીમેન્ટના પાટીયા મૂકીને તેઓએ જનાજો કાઢયો હતો ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રની આ પ્રકારની ભેદભાવ ભરી નીતિ સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech