રાજકોટ-પોરબંદરમાં ઝાકળ વર્ષા: અરબી સમુદ્રમાં ભેજવાળા વાદળોના ગંજ ખડકાયા

  • February 21, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહ્યું છે અને તેના કારણે રાજકોટ પોરબંદર અને દિવમાં ઝાકળ વર્ષા થવા પામી હતી. રાજકોટમાં ૯૧ પોરબંદરમાં ૯૫ અને દીવમાં ૯૩% ભેજ આજે સવારે નોંધાયો છે.
​​​​​​​
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં મોટા પ્રમાણમાં ભેજવાળા વાદળો દરિયાની સપાટીથી ૧.૫ કીલોમીટરની ઊંચાઈ પર જોવા મળી રહ્યા છે અને તે નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધતા હોવાથી ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં સવારે ભેજવાળું વાદળીયું વાતાવરણ જોવા મળે છે.
બદલાયેલા વાતાવરણને કારણે ૩૭ ડિગ્રી સુધી પહોંચી ગયેલું મહત્તમ તાપમાન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. આજે વલસાડ સિવાય રાજ્યમાં તમામ સ્થળે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી થી નીચું રહ્યું છે. લઘુતમ તાપમાનમાં પણ સામાન્ય વધઘટ રહેવા પામી છે. આજે ભુજમાં ૧૯ નલિયામાં ૧૭.૨ ભાવનગરમાં ૧૯.૬ દ્વારકામાં ૨૩.૬ ઓખામાં ૨૨.૩ પોરબંદરમાં ૨૦.૬ રાજકોટમાં ૧૯.૭ વેરાવળમાં ૨૨.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application