ઉનાળા પૂર્વે જ ભણગોરમાં પાણીની રામાયણ

  • February 16, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરપંચ દ્વારા ટેન્કર ફાળવવા કરાઇ રજૂઆત

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં હજુ ઉનાળું શરુ થયો નથી ત્યાં જ પાણીની રામાયણ શરુ થઇ છે, સરપંચ દ્વારા ટેન્કર ફાળવવા રજૂઆત કરવામાં આવી છે, પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાતા ગ્રામજનોમાં ચિંતા થવા લાગી છે, પાણી પુ‚ં પાડતા તમામ સ્ત્રોત ડુકી ગયા છે, એક માત્ર નર્મદાના પાણી મળે છે, પરંતુ તે પણ અનિયમિત મળતા લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે, આ બાબતે ગામના સરપંચ ગોરધનભાઇ કાનાણીએ તાલુકા અને જીલ્લાના સત્તાવાળાઓને રજૂઆત કરી ટેન્કર વાટે પાણી આપવા માંગણી કરી છે.
જામનગર-પોરબંદર હાઇવે માર્ગ ઉપર આવેલ ભણગોર ગામને પીવાના પાણી પ્રશ્ર્ને અન્યાય થતો હોવાની ગ્રામજનોમાંથી ફરિયાદ ઉઠી છે, ગામને પાણી આપતા તમામ સ્ત્રોત એકાએક ડુકી જતાં નર્મદાનું પાણી એકમાત્ર વિકલ્પ બચ્યો છે, નર્મદાનું પાણી પણ લોકોને નિયમિત મળતું નથી, જેથી પાણી માટે લોકો આમતેમ ફાફા મારી રહ્યા છે.
શિયાળો અંતિમ ચરણોમાં છે, અને ઉનાળાના કપરા દિવસો બારણે ટકોરા મારી રહ્યા છે, ત્યારે પીવાના પાણી માટે લોકોની શું હાલત થશે ? એ બાબતે ગ્રામજનોમાં ચિંતા થવા લાગી છે. પાણીની હાલમાં કટોકટી ઉભી થવાથી સમગ્ર ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, સરકારી તંત્ર પીવાના પાણી પ્રશ્ર્ને કંઇપણ ઘ્યાન નહીં આપે તો લોકોની યાતના બેવડાશે, ગામના જાગૃત સરપંચ ગોરધનભાઇ કાનાણીએ સરકારી તંત્રને અસરકારક રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application