યુરોપ, આફ્રિકા અને એશિયામાં ઉગાડવામાં આવતી મુલેઈન ચા એક ખૂબ જ આરોગ્યપ્રદ જડીબુટ્ટી તરીકે જાણીતી છે જેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા ગુણધર્મો છે. શ્વસન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે મુલેઈન ચા પીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આને પીવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. આ ખાંસી, શરદી અને અસ્થમા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
મુલેઈન ટી શું છે?
મુલેઈન ચા એ હર્બલ ચા છે જે છોડની મુલેઈન પ્રજાતિના પાંદડામાંથી બનાવવામાં આવે છે. મુલેઈન ચા પરંપરાગત રીતે અસ્થમા, સામાન્ય શરદી, ઉધરસ અને અન્ય શ્વસન સમસ્યાઓ અને ઘણા બેક્ટેરિયલ ચેપથી રાહત આપવા માટે વપરાય છે. આ સુગંધથી ભરપૂર સ્વાસ્થ્ય વર્ધક ચા છે, જેનું દરરોજ સેવન કરી શકાય છે.
મુલેઈન ચાની રેસીપી
ગેસ પર દોઢ કપ પાણીને ઉકળવા માટે મૂકો હવે તેમાં 1-3 ચમચી સૂકા મુલીન પાન નાખીને 15 મિનિટ સુધી ઉકાળો. આ પછી તેને સ્ટ્રેનર દ્વારા ગાળી લો અને તેનો આનંદ લો.
મુલેઈન ચાના ફાયદા
તેનો ઉપયોગ શ્વસન સંબંધી સમસ્યાઓમાં થાય છે. તેનો ઉપયોગ શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, બળતરા, સોજો ઘટાડવા, બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવી સમસ્યાઓથી રાહત આપવા માટે થાય છે.
શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત
અસ્થમામાં રાહત
મુલેઇન ચાનો ઉપયોગ અસ્થમાના દર્દીઓ પણ કરી શકે છે. તેનાથી શ્વાસની તકલીફ ઓછી થાય છે. આ ઉપરાંત તેમાં રહેલા ફ્લેવોનોઈડ્સ અસ્થમાથી રાહત આપે છે.
ઉધરસ મટાડવા માટે
મુલેઈન ચામાં કફ વિરોધી ગુણ હોય છે, જે તેના મૂળમાંથી કફને દૂર કરે છે.
રોગપ્રતિકારક શક્તિને વધારે છે
મુલીન ચામાં રહેલા ઔષધીય ગુણો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે.
એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર
મુલેઈન ચામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ફેફસાં અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
ઊંઘમાં સુધારો
મુલીન ચાનો ઉપયોગ ઊંઘની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પક્ષી ઘરમાં પક્ષીઓની વિશેષ સાર સંભાળ
May 20, 2024 06:33 PMકાળઝાળ ગરમીમાં જામનગર ગ્રેઇન માર્કેટના મજૂરોની કફોડી હાલત
May 20, 2024 06:31 PMરાજકોટ રેન્જ આઇ.જી જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાતે
May 20, 2024 06:26 PMજામનગરમાં 1404 આવાસના રહીશોને ખાલી કરવાની નોટિસ....
May 20, 2024 06:21 PMજામજોધપુર તાલુકાના વિરપુર ગામે થયેલ હત્યા મામલે ડીવાયએસપીએ વિગતો આપી
May 20, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech