ડો. સત્યમ બરછાએ ઓલ ઇન્ડિયા લેવલે નીટમાં ત્રીજો રેન્ક મેળવ્યો

  • October 19, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ



ખંભાળિયા પંથકના તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડોક્ટર પ્રફુલભાઈ બરછા પરિવારના હોનહાર યુવાને તબીબી ક્ષેત્રે અનેરી સિધ્ધિ હાંસલ કરીને સમગ્ર ભારતમાં નીટમાં ત્રીજો રેન્ક મેળવી, રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.



ખંભાળિયાના જાણીતા તબિબ ડો. પ્રફુલભાઈ બરછા તથા ડો. પ્રફુલાબેન બરછાના પૌત્ર ડો. સત્યમ રાજેશભાઈ બરછાએ નીટમાં થોડા સમય પૂર્વે ઓલ ઇન્ડિયા લેવલે 36 મો ક્રમ મેળવ્યો હતો. તેમજ તાજેતરમાં જ સુપર સ્પેશિયાલિટી નીટમાં ઓલ ઇન્ડિયા લેવલે ડો. સત્યમ બરછા (એમ.ડી., રેડિયોડાયગ્નોસિસ, કે.ઈ.એમ. - મુંબઈ)એ ત્રીજો રેન્ક મેળવીને બરછા પરિવાર સાથે ખંભાળિયાના રઘુવંશી સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.



અહીંના બાળરોગ નિષ્ણાત ડોક્ટર રાજેશભાઈ તથા બ્રિંદાબેન બરછાના હોનહાર પુત્ર ડો. સત્યમે આ ઝળહળતી સિદ્ધિ મેળવીને પરિવાર સાથે જ્ઞાતિ અને શહેરનું પણ નામ રોશન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application