આપણા દેશમાં મૃત્યુ બાદ દેહદાન કરવા માટે લોકો મોટા ભાગે અચકાતા હોય છે. મૃત્યુ બાદ સામાન્ય સમાજમાં અંતિમ સંસ્કાર માટે એક અલગ જગ્યા હોય છે ત્યારે જામનગરના દેકીવાડીયા પરિવારે માતાની ઇચ્છા અનુસાર તેમનું ચક્ષુદાન અને દેહદાન કરીને સમાજના લોકો માટે ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું છે. જામનગર શહેરમાં રહેતા ૮૮ વર્ષીય મુકતાબેન માધવજીભાઇ દેકીવાડીયાનું ગત તા.૮.૧.૨૦૨૪ના રોજ દેહાંત થયો હતો. જીવતા સમાજ માટે ઉપયોગી બનાવવા આશય સાથે મૃત્યુ પછી પણ સમાજને આપી જવાની ભાવના સાથે મુકત્તાબેને ચક્ષુદાન અને દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
મુકત્તાબેનનું નિધન થતાં તેમના પુત્રો સોનલ મેડીકલ એજન્સીવાળા ભરતભાઇ અને હસમુખભાઇએ માતાની અંતિમ ઇચ્છા મુજબ જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. આ દેહદાન થકી ડોકટરોનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. દેકીવાડિયા પરિવારના દેહદાનના આ નિર્ણયને સૌએ આવકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech