આપણા દેશમાં મૃત્યુ બાદ દેહદાન કરવા માટે લોકો મોટા ભાગે અચકાતા હોય છે. મૃત્યુ બાદ સામાન્ય સમાજમાં અંતિમ સંસ્કાર માટે એક અલગ જગ્યા હોય છે ત્યારે જામનગરના દેકીવાડીયા પરિવારે માતાની ઇચ્છા અનુસાર તેમનું ચક્ષુદાન અને દેહદાન કરીને સમાજના લોકો માટે ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું છે. જામનગર શહેરમાં રહેતા ૮૮ વર્ષીય મુકતાબેન માધવજીભાઇ દેકીવાડીયાનું ગત તા.૮.૧.૨૦૨૪ના રોજ દેહાંત થયો હતો. જીવતા સમાજ માટે ઉપયોગી બનાવવા આશય સાથે મૃત્યુ પછી પણ સમાજને આપી જવાની ભાવના સાથે મુકત્તાબેને ચક્ષુદાન અને દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
મુકત્તાબેનનું નિધન થતાં તેમના પુત્રો સોનલ મેડીકલ એજન્સીવાળા ભરતભાઇ અને હસમુખભાઇએ માતાની અંતિમ ઇચ્છા મુજબ જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. આ દેહદાન થકી ડોકટરોનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. દેકીવાડિયા પરિવારના દેહદાનના આ નિર્ણયને સૌએ આવકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech