ટીંબડી ગામના ગડા પરીવાર દ્વારા પક્ષીઓ માટે એક ટ્રક ચણનું દાન

  • June 20, 2024 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અબોલ નિરાધાર પક્ષીઓનું જીવન બચાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષીઓ એક એક દાણા માટે ઝાવા મારે છે આવા કપરા સમયમાં મુળ ગામ – ટીબડી તા.ખંભાલીયા હાલ – મુલુંડ ( મુંબઈ ) રહેતા હાલારી વિશા ઓશવાળ સમાજના જીવ દયા પ્રેમી પુણ્યાત્મા માતા  પુરીબેન મેપાભાઈ ગડા તથા પિતા મેપાભાઈ કરમણભાઈ ગડા.તેમના પરીવાર તરફથી પક્ષીઓ માટે એક ટ્રક ( ૧૧ – ટન ) ચલનું દાન આપેલ છે . જેમાં કબુતર , મોર વગેરે પક્ષીઓ માટે જુવા૨ બાચકા -૩૩૫ ,(૩૦ કિલો) તથા નાની ચકલીઓ માટે બાજરો બાચકા ૨૧ મળી કુલ -૩૫૬ બાચકા ચણનું દાન આપેલ છે . 


પક્ષીઓ માટેનું ચણ આરાધના ધામ બાપા સીતા ૨ામ મઢુલીથી શરૂ કરી , ખંભાલીયા , કલ્યાન્નપુર , ભાટીયા બારાડી , તથા દ્વારકા ના ગામડાઓ , મંદિરો , આશ્રમો , દ૨ગાહો , અરીયાળ વાડી વિસ્તારો તથા જંગલ વિસ્તારો વગેરેમાં કુલ –૯૮ સ્થળોએ એડવોકેટ નાનજીભાઈ સોનગરા તથા તેમના પુત્ર મનીષ નાનજીભાઈ સોનગરા મારફત તા.૧૬–૦૬-૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારના પાંચ વાગ્યાથી રાત્રીના ૧૦–૩૦ કલાક સુધી સતત ટ્રકમાં બેસી એક ટ્રક ચલનું વિતરણ કરવામાં આવ્યું હતું  . તથા સાત બાચકા સોન કંસારીના ડેરા જંગલ વિસ્તાર ધુમલી ભાણવડ હા . સોઢા બાપુને મોકલવામાં આવ્યું હતું જયાં સ્થળ પર સાઢીયા મારફત ચણ પહોંચાડવામાં આવે છે.


કાંતીલાલ મેપાભાઈ કરમણભાઈ ગડા એ તથા તેમના સબંધી જમનભાઈ હરીયાએ સને –૧૯૮૯ થી આ ચણ વિતરણ પ્રવૃતિની શરૂઆત કરી હતી . ત્યારથી આજદિન સુધી સતત ૩૫ વર્ષથી તેમની આગેવાની હેઠળ આ જીવદયાનું પુણ્યનું કાર્ય ચાલી રહયું છે .

આ જીવદયાના કાર્યમાં તેમણે જાતે તથા તેમના પરીવારના સભ્યો તરફથી દર વર્ષે  ચણનું દાન આપવામાં આવે છે . તથા તેમના સગા સબંધી , હિતેચ્છુ મિત્ર મંડળ તથા સમાજના તમામ સભ્યોના આર્થિક સહયોગથી પુણ્યાત્માં . કાંતીલાલ મેપાભાઈ ગડાની આગેવાની હેઠળ આ ચણ વિતરણ પ્રવૃતિનું જીવદયાનું પુણ્યનું કાર્ય વર્ષોથી અવિરત ચાલી રહયું છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application