ગણેશ ઉત્સવ પર દુંદાળા દેવને પ્રસન્ન કરવા કરો રાશી પ્રમાણે આ વસ્તુઓનું દાન

  • September 10, 2024 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયો છે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર  ભગવાન ગણેશ તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે અને નવા કાર્યોની શરૂઆતમાં શુભ ફળ આપે છે. આ દિવસે, ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે.


ગણેશ ચતુર્થી વિસર્જન તારીખ

ગણેશ ચતુર્થીનો આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થાય છે. તહેવારનો છેલ્લો દિવસ ગણેશ વિસર્જન તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભક્તો ગણપતિ બાપ્પાને ખૂબ જ ધામધૂમથી અને પ્રાર્થના સાથે વિદાય આપે છે અને આવતા વર્ષે ફરીથી આવવાની પ્રાર્થના કરે છે. આ વર્ષે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024 મંગળવારના રોજ કરવામાં આવશે.




ગણેશ ચતુર્થીના દિવસે તમારી રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરો


મેષઃ- મેષ રાશિના લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.


વૃષભ: સફેદ રંગના વસ્ત્રોનું દાન કરો.


મિથુન: તુલસીના છોડનું દાન કરો.


કર્કઃ ચોખા, મીઠું અને ખાંડનું દાન કરો.


સિંહ: ઘઉં અને મધનું દાન કરો.


કન્યા: મોદક અને મીઠાઈનું દાન કરો.


તુલા : મોદકનું દાન કરો.


વૃશ્ચિક: મગફળી, ઘઉં અને મધનું દાન કરો.


ધનુ: શમીના છોડનું દાન કરો.


મકર: મોતીચૂર લાડુનું દાન કરો.


કુંભ: ગણપતિ બાપ્પાજીની મૂર્તિ કોઈને ભેટ આપો.


મીન: પીળા રંગના કપડા અને કેળાનું દાન કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application