શું કાજલ લગાવવાથી બાળકોની આંખો મોટી થાય છે? જાણો શું કહે છે નિષ્ણાતો

  • May 22, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખરાબ નજરથી બચવા માટે મોટાભાગના લોકો કાજલ લગાવે છે. ભારતીય ઘરોમાં બાળકના જન્મના પાંચમા કે છઠ્ઠા દિવસે બાળકોની આંખો પર કાજલ લગાવવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. ઘણીવાર જોવા મળે છે કે નાના બાળકોની આંખોમાં કાજલ લગાવવામાં આવે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે તેનાથી બાળકોની આંખો મોટી થાય છે, પરંતુ શું આ ખરેખર સાચું છે?


ભારતીય ઘરોમાં દાદી અને માતા બાળકોની આંખો પર કાજલ લગાવે છે અને તે આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે આ અંગે ડોક્ટરનો મત આ બાબતે જુદો છે.

નિષ્ણાતો શું કહે છે


આપણી આંખોના ઉપરના ભાગમાં એક લૅક્રિમલ ગ્રંથિ છે જે આંસુ ઉત્પન્ન કરે છે અને જ્યારે આપણે ઝબકીએ છીએ ત્યારે આંસુ કોર્નિયામાં ફેલાય છે અને 'ટીયર ડક્ટ્સ' (જે આંખોના ખૂણામાં હોય છે)માંથી પસાર થાય છે. આંસુ આપણી આંખોને શુષ્કતા, ગંદકી, ધૂળ વગેરેથી બચાવીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાળરોગ નિષ્ણાંત કહે છે કે કાજલ લગાવવાથી આંસુની નળીમાં અવરોધ આવી શકે છે.

આંખના ચેપનો ભય


કાજલ ખૂબ જ ચીકણું હોય છે અને તેના કારણે જ્યારે કાજલ આંખોમાં લગાવવામાં આવે છે, ત્યારે તેના પર ધૂળ અને ગંદકી ચોંટી જાય છે. જેના કારણે આંખોમાં ઈન્ફેક્શન થઈ શકે છે અને તેના કારણે આંખોમાં ધૂળ અને ગંદકી ચોંટી જાય છે. ડોક્ટર કહે છે કે કાજલ લગાવવાથી બાળકોની આંખો મોટી નથી થતી, આંખોની સાઈઝ જિનેટિક હોય છે.


આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ


નવજાત શિશુઓની આંખ અને ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી નવા જન્મેલા બાળકને કાજલ લગાવવાનું ખાસ ટાળવું જોઈએ. કારણકે તેમાં રહેલા રસાયણોને કારણે આંખમાં ચેપ લાગી શકે છે. આ સિવાય નવા જન્મેલા બાળકની ત્વચા પર કોઈપણ પ્રકારની બિનજરૂરી બ્યુટી પ્રોડક્ટ્સ પણ ન લગાવવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application