મચ્છરથી બચવાં શું તમે અગરબત્તીનો ઉપયોગ કરો છો? તો થઈ જાવ સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે આ દુર્ઘટના

  • September 02, 2024 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક કહેવત છે કે સાવધાની હતી તો દુર્ઘટના ઘટી… આ કહેવતને અનુરૂપ એક ઘટના તેલંગાણાના હૈદરાબાદમાંથી સામે આવી છે. જ્યાં મચ્છરોના ડરથી એક મકાનમાં અગરબત્તી સળગાવી દેવામાં આવી હતી. પરંતુ  જયારે નજીકની વસ્તુઓ પર અગરબત્તીનું તણખું પડતાં ધીમે ધીમે જ્વાળાઓનું સવરૂપ ધારણ કર્યું અને રસોડામાં પહોંચી હતી છે. જ્યાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું.


રસોડામાં સિલિન્ડર ફાટ્યો

ઘટનાની વિગત મુજબ, કુકટપલ્લીમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી એક મહિલા તેના માતા-પિતા સાથે રહે છે. ઘટનાના દિવસે ઘરમાં મચ્છરોનો ભરાવો હતો તેથી ત્યાં અગરબત્તી સળગાવીને બધા સુઈ ગયા. ત્યારે અગરબત્તીનું તણખું ઘરની કોઈ વસ્તુ પર પડી હતી. આગની જાણ સુતેલા લોકોને થાઇ એ પહલાજ આગ ધીમે ધીમે ઘરના એક ભાગમાં ફેલાઈ ગઈ હતી. આગ રસોડામાં પહોંચી અને સિલિન્ડર ફાટતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં તેની માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે.


ઘરમાં આગની જ્વાળાઓ વધતી જોઈ પરિવારજનોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે આસપાસના લોકોને સલાહ આપી છે કે થોડી બેદરકારી કેટલી જીવલેણ બની શકે છે તેનો અંદાજ આ ઘટના પરથી લગાવી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application