એક કહેવત છે કે સાવધાની હતી તો દુર્ઘટના ઘટી… આ કહેવતને અનુરૂપ એક ઘટના તેલંગાણાના હૈદરાબાદમાંથી સામે આવી છે. જ્યાં મચ્છરોના ડરથી એક મકાનમાં અગરબત્તી સળગાવી દેવામાં આવી હતી. પરંતુ જયારે નજીકની વસ્તુઓ પર અગરબત્તીનું તણખું પડતાં ધીમે ધીમે જ્વાળાઓનું સવરૂપ ધારણ કર્યું અને રસોડામાં પહોંચી હતી છે. જ્યાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું.
રસોડામાં સિલિન્ડર ફાટ્યો
ઘટનાની વિગત મુજબ, કુકટપલ્લીમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી એક મહિલા તેના માતા-પિતા સાથે રહે છે. ઘટનાના દિવસે ઘરમાં મચ્છરોનો ભરાવો હતો તેથી ત્યાં અગરબત્તી સળગાવીને બધા સુઈ ગયા. ત્યારે અગરબત્તીનું તણખું ઘરની કોઈ વસ્તુ પર પડી હતી. આગની જાણ સુતેલા લોકોને થાઇ એ પહલાજ આગ ધીમે ધીમે ઘરના એક ભાગમાં ફેલાઈ ગઈ હતી. આગ રસોડામાં પહોંચી અને સિલિન્ડર ફાટતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં તેની માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે.
ઘરમાં આગની જ્વાળાઓ વધતી જોઈ પરિવારજનોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે આસપાસના લોકોને સલાહ આપી છે કે થોડી બેદરકારી કેટલી જીવલેણ બની શકે છે તેનો અંદાજ આ ઘટના પરથી લગાવી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech