ભૂલથી પણ ચોખાનું પાણી ફેંકવાની ભૂલ ન કરો, સિલ્કી વાળથી લઈને ગ્લોઈંગ સ્કિન સુધી અનેક ફાયદા

  • September 09, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શું ચોખા રાંધ્યા પછી કે પલાળ્યા પછી બચેલું પાણી પણ ફેંકી દયો છો? તો મોટી ભૂલ કરી રહ્યા છો. ચોખાનું પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળને સિલ્કી બનાવવાથી લઈને ત્વચા પરથી ડાઘ દૂર કરવા સુધી તેનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે.


એશિયન દેશોમાં સદીઓથી ચોખાના પાણીનો ઉપયોગ સૌંદર્ય અને સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે કરવામાં આવે છે. તે એક કુદરતી સૌંદર્ય સારવાર છે. જે વાળ અને ત્વચાને પોષણ અને મજબૂત બનાવે છે. આ એટલા માટે કારણકે ચોખાના પાણીમાં ઘણા જરૂરી પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટો હોય છે. આ પોષક તત્વો વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જાણો ચોખાના પાણીના ઉપયોગથી થતા ફાયદા.


વાળ માટે ચોખાના પાણીના ફાયદા


વાળને મજબૂત કરે છે- ચોખાના પાણીમાં જોવા મળતું ઇનોસિટોલ નામનું તત્વ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે વાળ તૂટતા અને ખરતા ઘટાડે છે.


વાળને બનાવે છે ચમકદાર- ચોખાના પાણીમાં સિલિકા હોય છે, જે વાળને ચમકદાર અને મુલાયમ બનાવે છે. તે વાળને શુષ્ક અને નિર્જીવ થતા અટકાવે છે.


વાળને જાડા કરે છે- ચોખાના પાણીનો નિયમિત ઉપયોગ વાળના ફોલિકલ્સને સક્રિય કરે છે, જેનાથી વાળનો ગ્રોથ વધે છે. તે વાળને જાડા અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.



કુદરતી હેર કંડીશનર તરીકે કામ કરે છે - ચોખાના પાણીમાં કુદરતી કન્ડીશનીંગ ગુણ હોય છે, જે વાળને મુલાયમ બનાવે છે. તે વાળને ફ્રિઝી થતા અટકાવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application