હૃદય સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે અને તેને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (WHO) અનુસાર, દર વર્ષે લગભગ 17.9 મિલિયન લોકો હૃદય સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. જેમાંથી 85% હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે. તાજેતરના વર્ષોમાં હૃદય સંબંધિત રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખરાબ જીવનશૈલી, ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણી વાર વધી જાય છે.
આ બધા કારણોથી ધમનીઓમાં પ્લાક જમા થવા લાગે છે. રક્ત પરિભ્રમણનો માર્ગ બંધ થવા લાગે છે. જ્યારે ધમનીઓ ભરાઈ જાય છે, ત્યારે તે હાર્ટ એટેક અને સ્ટ્રોક તરફ દોરી શકે છે. તેથી, હૃદય સ્વસ્થ છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે.
બ્લડ પ્રેશર
BP નિયમિતપણે ચેક કરાવતા રહો. જ્યારે બીપી નોર્મલ રહે છે, તે સ્વસ્થ હૃદયની નિશાની છે. જો બીપી નોર્મલ નથી તો તે એ વાતનો સંકેત છે કે તમારી ધમનીઓ યોગ્ય રીતે કામ નથી કરી રહી છે અને તેમાં કોઈ અવરોધ છે.
છાતીમાં દુખાવો
જો છાતીમાં કોઈપણ પ્રકારનો દુખાવો અનુભવાય છે અથવા તે પહેલા પણ થયો હોય, તો તે હૃદયમાં અવરોધની નિશાની હોય શકે છે. જો કસરત કરતી વખતે અથવા આરામ કરતી વખતે છાતીમાં દુખાવો નથી થતો. તો આ એક સંકેત છે કે હૃદય સ્વસ્થ છે.
એનર્જી
જો તમે એવા વ્યક્તિ છો જે દિવસભર ઉર્જાવાન અનુભવો છો તો તે હૃદય માટે સારો સંકેત છે. જે લોકોને હાર્ટ બ્લોકેજ હોય અથવા હૃદય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય. તેઓ થાક અનુભવવા લાગે છે. આ એક સંકેત છે કે તેનું હૃદય બરાબર કામ નથી કરી રહ્યું.
કોલેસ્ટ્રોલ
સામાન્ય કોલેસ્ટ્રોલનું સ્તર સ્વસ્થ હૃદયની બીજી નિશાની છે. તેથી એ મહત્વનું છે કે કોલેસ્ટ્રોલના સ્તરને તપાસતા રહો. ઉપરાંત, કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવતા રહો. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, ત્યારે તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
શ્વાસ લેવામાં તકલીફ
જ્યારે શ્વાસ લેવામાં કોઈ સમસ્યા ન થતી હોય તો આ એક સંકેત છે કે હૃદય સ્વસ્થ છે. હૃદય સંબંધિત રોગોના કિસ્સામાં, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઓક્સિજન હૃદય અને શરીરના અન્ય અંગો સુધી યોગ્ય રીતે પહોંચતું નથી.
ધબકારા
જો ધબકારા નિયમિત છે તો તે સ્વસ્થ હૃદયની નિશાની છે. અનિયમિત ધબકારા ભલે તે ખૂબ જ ઝડપી હોય કે ખૂબ ધીમા ખરાબ સંકેત હોય શકે છે કારણ કે તે હૃદય રોગની નિશાની છે.
સોજો
હાથ, પગ, અંગૂઠા અને પગની ઘૂંટીઓમાં સોજો એ હૃદય રોગની નિશાની હોય શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે હૃદય યોગ્ય રીતે પંપ કરવામાં અસમર્થ છે અને આ વિસ્તારોમાં તેમને જરૂરી ઓક્સિજન મળતો નથી, જે આખરે સોજા તરફ દોરી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech