આગામી દિવાળી મહોત્સવ–૨૦૨૪ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહર્ત અને દિવસો દરમિયાન ભકતજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીના પાંચ દિવસ માટે ભકિતપૂર્ણ આયોજન કરાયેલા છે.
સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્રારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. દિવાળી મહોત્સવના દરેક દિવસે શ્રી સોમનાથ મંદિર પરિસર, ટ્રસ્ટના તમામ અતિથિગૃહ અને પરિસર પ્રકાશિત કરવામાં આવશે. જેથી આવનાર ભકતોને ઉત્સવ દરમિયાન ઘર જેવી જ લાગણી ઉત્પન્ન થાય.
લાઈટ એન્ડ સાઉન્ડ શો, દીપોત્સવી
ચોમાસામાં બધં કરાયેલ યાત્રીઓનો પ્રિય એવો ૩ડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ભકતો માટે ફરી શ કરાયો છે. તેહવારોમાં ૨ શો કરવામાં આવશે જેથી આવનાર યાત્રીઓને બમણો લાભ મળી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટના અતિથિગૃહ ના મેદાનમાં દિવાળીના દિવસે યાત્રીઓને સાથે રાખી ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે જેથી આવનાર યાત્રીઓને પરિવારનો ભાગ હોવાનો અનુભવ કરાવવામાં આવશ
ઓનલાઈન લક્ષ્મી પૂજન
દિપાવલી પર્વ પર દેશ ભરમાંથી લક્ષ્મી પૂજન નોંધાવનાર ભક્તોને ઓનલાઈન માધ્યમ પર લક્ષ્મી પૂજન કરી પૂજન કરેલ શ્રી યંત્ર, રોજમેળ પેન, અને નમન ભસ્મ પ્રસાદ એમના સરનામા પર પહોચાડવામાં આવશે. આ ઉપરાંત સ્વયં સોમનાથ આવીને લક્ષ્મી પૂજન કરવા માંગતા ભક્તોને પણ પૂજા કરાવવામા આવશે.
નૂતન વર્ષે અન્નકૂટ
નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરવા માટે સોમનાથ પધારનાર ભાવિકોને ઉત્તમ દર્શન અનુભવ થાય તેવી વ્યવસ્થા ઉપરાંત જનકલ્યાણની પ્રાર્થના સાથે મહાદેવને અન્નકૂટ ભોગ લગાવવામાં કરવામાં આવશે. આમ શ્રી સોમનાથ મંદિર, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ, ભોજનાલય, પાર્કિંગ સહિતમાં યાત્રીઓને ઉત્તમ આતિથ્ય મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech