1993ની સાલમાં તે વખતની બેસ્ટ એક્ટ્રેસ દિવ્યા ભારતીના મોતે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી હતી. દિવ્યા ભારતી તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં લપસી પડી હોવાનું કહેવાતું હતું જો કે એ વખતે એવો પણ દાવો કરાયો હતો કે દિવ્યાનું મર્ડર થયું છે. દિવ્યા ભારતીના મોતના 31 વર્ષ બાદ હવે રંગ ફિલ્મમાં તેની સાથે કામ કરનાર એક્ટર કમલ સદાનાએ દિવ્યા ભારતીના મોતને લઈને નવો દાવો કર્યો છે.
કમલ સદાનાએ એક ઈન્ટરવ્યૂમાં દિવ્યા ભારતીના મોતને લઈને મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે ઘટનાની રાતે દિવ્યા ભારતીએ રમ પીધો હતો અને તેથી તેને ગેસ થયો હતો અને રુમમાં રઘવાઈ થઈ હતી આ નશાને કારણે તે બાલ્કનીમાંથી લપસી પડી હોઈ શકે છે. તેનું મોત એક આકસ્મિક હતું, તેણે આપઘાત કર્યો નહોતો કે તેની હત્યા પણ થઈ નહોતી. તેણે કહ્યું કે
તે તેમના માટે ખૂબ જ દુ:ખદ છે. તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી હતી. કમલને તેની કંપની અને સાથીદારો સાથે કામ કરવામાં આનંદ થયો. તે આનંદી અને મનોરંજક હતી. એટલું જ નહીં, અભિનેતાનું કહેવું છે કે દિવ્યા ખૂબ હિંમતવાન હતી. તે શ્રીદેવીની અદ્ભુતની નકલ કરતી હતી. મને હજુ પણ દિવ્યાના મોતનો વિશ્વાસ આવતો નથી. આ મારે માટે ચોંકાવનારા સમાચાર હતા. મોતના 2-3 દિવસ પહેલા મેં દિવ્યા સાથે શુટિંગ પૂરુ કર્યું હતું મને કોઈને ફોન કરીને દિવ્યાના મોતના સમાચાર આપ્યાં હતા અને મને ભારે આંચકો લાગ્યો હતો. કમલ સદાનાએ કહ્યું કે જ્યારે તે દિવ્યા ભારતી સાથે શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે બધું બરાબર હતું. તે એકદમ ખુશ હતી. તે સમયે તે ટોચના કલાકારોમાંની એક હતી. તેની પાસે ઘણી ફિલ્મો હતી. દિવ્યાએ આત્મહત્યા કરી હોય તેવું મારુ માનવું નથી. તે નશામાં હોવાને કારણે લપસી ગઈ હશે અને હત્યાની વાતને ખોટી પણ કહે છે.
કમલ અને દિવ્યા 'રંગ'માં જોવા મળ્યા હતા
દિવ્યા ભારતી અને કમલ સદાનાની જોડી છેલ્લે ફિલ્મ 'રંગ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 1993માં દિવ્યાના મોત બાદ રિલિઝ થઈ હતી. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 1993ની સાલમાં પોતાના ઘરથી બાલ્કનીમાંથી લપસી પડતાં દિવ્યા ભારતીનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMઆ છે ભારતની સૌથી ડરામણી કે ભૂતિયા મનાતી જગ્યાઓ, સાવધાની સાથે લેવી મુલાકાત
July 02, 2024 04:49 PMભાગેડુ વિજય માલ્યાની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
July 02, 2024 04:42 PMપુણેમાં ઝીકા વાયરસના એક સો ૬ કેસ મળી આવતા ફફડાટ
July 02, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech