જામનગરમાંથી દરરોજ 300 ટન કચરો ઉપાડતો હોવાની વાત જામનગર મહાપાલિકાના શાસકો કહી રહ્યા છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગંદકીનો માહોલ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે . આ અંગે લોકોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ વિસ્તારમાં અવાર નવાર કચરાના ઢગલા ખડકાય છે. પરંતુ જામનગર મહાપાલિકાના તંત્રને આ અંગે અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં ત્યાંથી કચરો ઉપાડતો નથી .જેને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થયું છે. શા માટે આ વિસ્તારની અવગણના કરવામાં આવે છે? તે લોકોને સમજાતું નથી કચરાને કારણે પશુઓ પણ આ વિસ્તારમાં વધુ એકઠા થાય છે. અને અકસ્માતનો સતત ભય રહે છે. જામનગર મહાપાલિકાના તંત્ર વાહકોએ આ અંગે તપાસ કરીને ધણશેરી, સુભાષ માર્કેટ તથા અન્ય વિસ્તારોમાંથી તાત્કાલિક અસરથી કચરો ઉપાડી લેવો જોઈએ. જો આ કચરો વધુ દિવસ રહેશે તો લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થશે માટે જામનગર કોર્પોરેશનના તંત્ર દ્વારા આ વિસ્તારને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરું જોઈએ તેવી લોકોમાં માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech