તાનાશાહ કીમ જાેંગ ઉન કાળઝાળ ૩૦ અધિકારીને કરી ફાંસીની સજા

  • September 04, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર કોરિયા:
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાેંગ ઉને તેના દેશના ૩૦ વરિ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ તમામ અધિકારીઓ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન ફરી સમાચારમાં છે. તેણે પોતાના દેશના ૩૦ વરિ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી છે. તેમનો દોષ એ હતો કે તેઓ દેશને ભયંકર પૂરથી બચાવી શકયા નહીં, જેનાથી ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉન ભયંકર નારાજ થયા. આ પૂરે ચાંગગં પ્રાંતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી, જેમાં ૪૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા.સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી રિપોર્ટ અનુસાર, કિમ જાેંગે તે તમામ લોકોને સજા આપવાનું કહ્યું છે જેઓ આ દુર્ઘટનામાં પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકયા નથી. ગયા મહિને પણ પાર્ટીના ૨૦–૩૦ અગ્રણી લોકો માર્યા ગયા હતા.

ઘણા રાજયોમાં ઈમરજન્સી જાહેર

આ વખતે ઉત્તર કોરિયામાં આવેલ પૂર વિનાશક સાબિત થયું છે અને ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૪૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. આટલી મોટી દુર્ઘટના બાદ કિમ જાેંગે પોતે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કયુ હતું. તેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. જો કે, મીડિયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application