રવિવારે સવારે 5 વાગ્યે શેઠજી દેરાસર પટાંગણથી પ્રસ્થાન : નવકારશીનું આયોજન
પર્યૂષણ પર્વ પૂર્ણ થયા બાદ હાલમાં જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર પેઢી સંચાલિત જ્યોતિ-વિનોદ ઉપાશ્રય-પાઠશાળામાં જામનગરના પનોતા પુત્ર પ.પૂ. હેમન્તવિજયજી મ.સા. 40 વર્ષ પહેલા દિક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત જામનગરમાં ચાર્તુમાસ કરવા પધારેલ છે. તેમની સાથે પ.પૂ. દેવરક્ષિતવિજયજી મ.સા. નિશ્રામાં પર્યૂષણ પર્વમાં આશરે 200 જેટલી તપશ્ર્ચર્યા પૂર્ણ કરેલ હતી. તમામ તપસ્વીઓને ખૂબ જ સારી સાતા રહી હતી. જામનગરથી નજીક ધુંવાવ ગામે 500 વર્ષ પ્રાચીન જિનાલય સુપાર્શ્ર્વનાથ દેરાસર આવેલુ છે. આ ધુંવાવમાં જૈનોના અગાઉ ઘણાં બધા ઘરો હતા. હાલમાં એકપણ ઘર જૈનનું નથી.
વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત ધુંવાવમાં આવેલ સુપાર્શ્ર્વનાથજી જિનાલય શેઠજી જૈન દેરાસર પેઢી સંચાલિત ચલાવવામાં આવે છે. આ ચમત્કારીક જિનાલયે રવિવાર તા. 15ના રોજ શેઠજી દેરાસર પટાંગણમાંથી સવારે 5 વાગ્યે પગપાળા (પગેચાલી) ને ધુંવાવ તિર્થે જવાનું છે. ધુંવાવ જિનાલયે પહોંચીને ત્યાં સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે. ત્યારબાદ નવકારશીનું આયોજન કરેલ છે. જેના પાસ રૂા. 50 આપી (રિફંડેબલ) ચાંદીબજારમાં આવેલ પાઠશાળામાં પેઢીમાંથી મેળવવાના રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech