ધારીના જીરા ગામે આર્થિક સંકડામણી કંટાળી યુવકએ કરેલો આપઘાત: મોત

  • June 29, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ધારીના જીરા ગામે યુવક અને રાજુલાના ચાંચ બંદરે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
​​​​​​​
મળતી વિગત મુજબ ધારીના જીરા ગામે રહેતો રવિ નંદલાલભાઇ બોરીસાગર (ઉ.વ.૩૨) નામના યુવકે ગત તા.૯ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રમ ધારી બાદ અમરેલી સારવારમાં ખસેડવામાં આવતા લાંબી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ધારી પોલીસે હોસ્પિટલએ દોડી જઈ જરૂરી કાગળો કરી તપાસ હા ધરી હતી. પોલીસની પ્રામિક તપાસમાં યુવકને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાી ર્આકિ સંકડામણ અનુભવતા જિંદગીી કંટાળી ગયા હોવાનું વિચારી ઘઉં નાખવાની ટીકડીઓ પી પગલું ભરી લીધું હતું. બનાવી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બીજા બનાવમાં રાજુલાના ચાંચ બંદરમાં રહેતી નાનુબેન કિશનભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ ગત તા.૨૩ના પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત પાછળનું કારણ મૃતક નાનુબેનને પોતાના પિયર જવુ હોય પરંતુ પતિએ ોડા સમય પછી જવાનું કહેતા આ વાતનું લાગી આવતા ઉંદર મારવાની દવા પી લીધી હતી. બનાવી પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application