ધનશ્રી વર્મા દિલ રાજુના બેનર હેઠળ બનનાર ''આકાશમ દાતિ વાસ્તવ'' નામની તેલુગુ ફિલ્મથી પોતાની શરૂઆત કરશે. આ પ્રોજેક્ટમાં કોરિયોગ્રાફર યશ મુખ્ય ભૂમિકામાં હશે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા છેલ્લા ઘણાં સમયથી હૈદરાબાદમાં છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતી રહે છે, જેમાં જોઈને લાગે છે કે, તે કોઈ શૂટિંગમાં વ્યસ્ત છે. તે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઘણીવાર હિન્ટ પણ આપી ચૂકી છે, કે તે ફેન્સને કોઈ ખુશખબરી આપનાર છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે જલ્દી ફિલ્મમાં ડેબ્યૂ કરી શકે છે. સમાચાર સામે આવી રહ્યાં છે કે, યુઝવેન્દ્ર ચહલની પત્ની અને ડાન્સ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહી છે.
તેની ડેબ્યૂ ફિલ્મ પર મોટી અપડેટ સામે આવી છે. તે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. ધનશ્રીના ડેબ્યૂની વાત કરીએ તો કથિત રીતે તે ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કે તેને લઈને હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જણાવાય રહ્યું છે કે, આ ફિલ્મ ડાન્સ પર આધારિત છે. ધનશ્રી ડાન્સ કોરિયોગ્રાફર છે, તેથી ફિલ્મ નિર્માતાઓને ધનશ્રી આ ફિલ્મ માટે પરફેક્ટ લાગી રહી છે. આ પહેલા ઘણાં મ્યુઝિક આલ્બમ વીડિયો અને રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં પણ તે જોવા મળી ચૂકી છે
મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા દિલ રાજુના બેનર હેઠળ બનનાર ''આકાશમ દાતિ વાસ્તવ'' નામની તેલુગુ ફિલ્મથી પોતાની શરૂઆત કરશે. આ પ્રોજેક્ટમાં કોરિયોગ્રાફર યશ મુખ્ય ભૂમિકામાં હશે. જાણકારી તો એવી પણ છે કે, આ ફિલ્મમાં જાણીતી અભિનેત્રી કાર્તિકા મુરલીધરન પણ અભિનય કરશે. જે 'સબા નયાગન' અને 'સીઆઈએ'માં પોતાના અભિનયથી પ્રસિદ્ધ થઈ છે.
અહેવાલ અનુસાર આ રોલ માટે ધનશ્રીને પસંદ કરતા પહેલા ઘણી અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવ્યાં હતા. પરંતુ અંતે ધનશ્રી વર્માને પસંદ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ધનશ્રી ફિલ્મમાં પોતાના રોલ અને ફિલ્મની આખી સ્ટોરી પર વિચાર કર્યા પછી જ ફિલ્મમાં સામેલ થવા માટે સહમત થઈ છે. અહેવાલ અનુસાર આ રોલ માટે ધનશ્રીને પસંદ કરતા પહેલા ઘણી અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવ્યાં હતા. પરંતુ અંતે ધનશ્રી વર્માને પસંદ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ધનશ્રી ફિલ્મમાં પોતાના રોલ અને ફિલ્મની આખી સ્ટોરી પર વિચાર કર્યા પછી જ ફિલ્મમાં સામેલ થવા માટે સહમત થઈ છે.
ધનશ્રી વર્માએ પહેલા દિવસથી જ ફિલ્મમાં કેટલાક સીન્સ મુંબઈમાં શૂટ કરી લીધા છે. તેના બાકીના ભાગ હૈદરાબાદમાં પૂરા થવાની શક્યતા છે. જ્યારે છેલ્લા ઘણાં સમયથી ધનશ્રી વર્મા હૈદરાબાદમાં જ છે. કદાચ તેનું હૈદરાબાદમાં રહેવાનું કારણ આ જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech