સોમવતી અમાસના અવસરે ૫૫ હજારથી વધુ ભકતોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

  • September 03, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પવિત્ર પર્વ પર સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લ ાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટા હતા.  મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેકિટ્રક કાર્ટ અને વ્હીલચેર, લિટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓનો લાભ મળ્યો હતો.
સવારે ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્રારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારભં કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભકતો જોડાયા હતા.
શ્રાવણની અમાવસ્યા ૨ ભાગમાં આવતી હોય સોમવતી અમાસના અવસરે સોમનાથ મંદિરમાં મોટી માત્રામાં ભકતો ઉમટા હતા તેમજ પૂજા કાર્યમાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની ૫૮ સોમેશ્વર મહાપૂજા, ૭૪ ધ્વજા પૂજા, ૭૯૫ દ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા, સહિતની પૂજા ભકતો દ્રારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ
સોમનાથ મંદિર બહાર ભકતો માટે ફરાળ અને ભંડારાની ઉત્તમ વ્યવસ્થા હોય તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પણ અતિરિકત વ્યવસ્થાઓ કરાઈ હોય હજારોની સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યેા હતો. યાત્રીઓની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપીને ટ્રસ્ટ દ્રારા કરાયેલ વ્યવસ્થાઓ થકી સાંજના સાત વાગ્યા સુધીમાં ૫૫,૦૦૦ થી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કર્યા હતા.
સોમનાથ મહાદેવની સંધ્યા આરતી સમયે મહાદેવને અંદાજિત ૨૦૦ કિલો જેટલા વિવિધ પ્રકારના પુષ્પો દ્રારા અલંકૃત કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application