બુધવારે થશે મંગલ પૂર્ણાહુતિ
ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા સુતારીયા ગામે સ્થિત પૂજ્ય કરસન ભગતની જગ્યા - રામેશ્વર ધામ ખાતે મંગળવાર તારીખ 16 થી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે.
જાણીતા કથાકાર શ્રી કૌશિકભાઈ ભટ્ટ (રાણસીડી)ના વ્યાસાસને ચાલી રહેલી આ ભાગવત સપ્તાહમાં આજરોજ ગુરુવારે જગદંબા પ્રાગટ્ય તેમજ રાત્રે 10 વાગ્યે જાણીતા કલાકારો સાથેના સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આગામી મંગળવાર તારીખ 23 મી ના રોજ રાસલીલા મંડળીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવી ભાગવત સપ્તાહની મંગલ પૂર્ણાહુતિ બુધવાર તારીખ 24 મી ના રોજ થશે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા સ્થળોએથી જાણીતા સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે. દરરોજ સવારે 9 થી 12 તથા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક પૂજ્ય મણીમાતા (ગુરુ શ્રી મંગલનાથજી) તેમજ નગાભગત (ગુરુ શ્રી મણી માતાજી) દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech