ભાયાવદરમાં વેપારીએ ૨ લાખના ૭.૯૪ લાખ ચૂકવ્યા છતા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી

  • March 19, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભાયાવદરમાં રહેતા કપડાંના વેપારીએ ધંધા માટે રૂ.૨ લાખ વ્યાજ લીધા હતાં. જેના બદલામાં રૂ.૭.૯૪ લાખ ચૂકવી દીધા હતાં.છતા આ શખસ યુવાન પાસે વધુ રકમની માંગણી કરી તેને ધમકી આપતો હોય અંતે યુવાને આ મામલે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત વિગતો મુજબ, સંદીપભાઈ ઉર્ફે રઘો અશોકભાઈ જાવીયા(ઉ.વ.૩૨ રહે. ભાયાવદર, ન્યુ હાઈસ્કુલના ગ્રા ઉન્ડની સામે તા.ઉપલેટા) દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલમોઇન આદમભાઇ મંઘરા(રહે.ભાયાવદર) નું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભાયાવદર ખાતે ગંજીવાડામાં રેડીમેઈટ તથા કટલેરીની દુકાન આવેલ છે જયા વેપાર કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું.

દુકાનમાં માલ સામાન લેવા માટે રૂપિયાની જરૂરત પડતા તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ ભાયાવદર, સરસ્વતી સોસાયટીમાં રહેતા અલમોઈન આદમભાઈ મંધરા પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા.જેમા વ્યાજની શરત એવી હતી કે દરરોજ રૂ. ૧૦ હજાર લેખે ચાલીસ દીવસ સુધી આપવાના હતા. જેથી મે બે લાખ લીધેલ ત્યારથી દરરોજ અલમોઈન ફરિયાદીની દુકાનેથી રૂ. ૧૦ હજાર લઈ જતો આમ તેને દરરોજના દસ હજાર લેખે ચાલીસ દીવસ સુધી કુલ રૂ.૪,૩૦,૦૦૦ આપ્યા હતાં. તેના બેન્ક અકાઉન્ટમાં ઓન લાઈન જમા કર્યા હતાં. જેમા રૂ.૨ લાખ પુરા તેની મુદલ રકમ તથા વ્યાજના રૂ.૨,૩૦,૦૦૦ ચુકવી આપ્યા હતા.


તેમ છતા ચાલીસ દીવસ પુરા થયા બાદ પણ અલમોઇન દુકાને અવાર નવાર આવી ધમકી આપી થોડા થોડા કરી કુલ રૂ. ૧,૮૪,૦૦૦ રોકડા લઈ ગયેલ હતો તેમ છતા આજથી આશરે ચારેક માસ પહેલા ફરિયાદી બહારગામ હતા ત્યારે અલમોઈન તેમના ઘરે ગયો હતો તેમના પિતાજીને લખાણ બતાવી કહેલ કે મારે સંદીપ પાસેથી બે લાખ રૂપિયા લેવાના છે તમે આપો તેમ કહેતા ફરિયાદીના પિતાજીએ તેને રૂ. ૧.૮૦ લાખ આપ્યા હતાં. આમ ફરિયાદીએ તેને મુદ્દલ રકમ સહીત કુલ રૂ.૭,૯૪,૦૦૦ ચુકવેલ જેમા મુદલ રકમ બાદ કરતા રૂ.૫,૯૪,૦૦૦ પુરા વ્યાજ ચુકવેલ હતુ. તેમ છતા અવાર નવાર યુવાન પાસે મુદલ રકમ અથવા વ્યાજની માંગણી કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો હતો. તેણે કહ્યુ હતું કે, તુ મને મારા રૂપિયા તથા વ્યાજ નહી આ૫ તો હું દવા પી જઈશ અને તારૂ નામ લખાવી દઈશ.


આમ, આ શખસે અલમોઈન કોઇપણ જાતના વ્યાજ આપવાના લાઇસન્સ વગર જેમા રૂપિયા ૨ લાખના પુરાના દરરોજના ૧૦,૦૦૦ ચુકવવાના એમ વ્યાજે તરીકે દીધેલ જેમા મે મુદલ રકમ બાદ કરતા રૂ.૫,૯૪,૦૦૦ પુરા વ્યાજ તરીકે ચુકવેલ હોય તેમ છતા આ અલમોઈન આદમભાઈ મંધરા (રહે.ભાયાવદર) સરસ્વતી સોસાયટી વાળો વ્યાજની ઉઘરાણી કરતો હોય અને મને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો હોય આ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application