ભાયાવદરમાં ગંજીવાડા શેરી નંબર 2 માં રહેતા ગીરીશભાઈ મોહનભાઈ કાસુન્દ્રા (ઉ.વ 60) નામના વૃદ્ધએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નટુ કરમુર અને મેરામણ નટુભાઈ કરમુર (રહે. બંને ખાખીજાળીયા)ના નામ આપ્યા છે.
વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને દોઢ એક માસ પહેલા પેરાલીસીસનો એટેક આવ્યો હોય તે હાલ નિવૃત જીવન પસાર કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આજથી દોઢ વર્ષ પૂર્વે પૈસાની જરૂરિયાત હોય તેમણે ખાખીજાળીયાના નટુભાઈ કરમુર પાસેથી રૂપિયા ૫.૫૦ લાખ વ્યાજે લીધા હતા જેમાં પહેલા ચાર લાખ અને ત્યારબાદ 15 દિવસ બાદ 1.50 લાખ લીધા હતા આ રકમનું માસિક સાત ટકા અને આઠ ટકા લેખે વ્યાજ આપતા હતા. ફરિયાદી ચાર લાખનું માસિક રૂપિયા 28,000 અને 1.5 લાખનું રૂપિયા ૧૨ હજાર વ્યાજ ચૂકવતા હતા અને અત્યાર સુધીમાં ફરિયાદીએ નટુભાઈને રૂ.7.20 લાખ વ્યાજ ચૂકવી આપ્યું છે છતાં હજુ પણ મુદલ રકમ બાકી હોય અને છેલ્લા ત્રણેક માસથી નટુ કરમુર તથા તેનો દીકરો મેરામણ ફરિયાદિ તથા તેના પુત્ર અભિષેકને અવારનવાર રૂબરૂ તથા ફોનમાં સાડા પાંચ લાખની ઉઘરાણી કરે છે.જેથી ફરિયાદીએ નટુભાઈને કહ્યું હતું કે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ અને ચૂકી આપ્યું છે અને હાલ હું રૂપિયા આપી શકું તેમ નથી જેથી થોડા દિવસમાં રૂપિયા આપી દઈશ તેમ કહેવા છતાં આ શખસો ઉઘરાણી કરતા હતા.
દરમિયાન ગઈકાલ સવારના 9:00 વાગ્યા આસપાસ નટુભાઈનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારા તમામ રૂપિયા અને તેનું ચડતર વ્યાજ મને આપી દો જેથી ફરિયાદી એ કહ્યું હતું કે હમણાં સગવડ નથી બાદમાં દસેક વાગ્યા આસપાસ ફરિયાદીનો પુત્ર અભિષેક વાડીએથી ભાયાવદર ગામમાં આવતો હતો ત્યારે સીજી પેટ્રોલ પંપ પાસે નટુભાઈ તથા તેનો પુત્ર મેરામણએ અભિષેકને ઉભો રાખી કહ્યું હતું કે, રૂપિયાની વ્યવસ્થા કરી દો નહીંતર મજા નહીં આવે તેમ કહી ગર્ભિત ધમકી આપી હતી. આ વાત પુત્રએ પિતાને કરતા અંતે ફરિયાદીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જેમાં તેણે નટુભાઈ પાસેથી રૂપિયા સાડા પાંચ લાખ વ્યાજે લીધા હોય જેના બદલામાં સાત અને આઠ ટકા લેખે કુલ રૂપિયા 7.20 લાખ ચૂકવી દીધા હોવા છતાં હજુ પણ સાડા પાંચ લાખની ઉઘરાણી કરી ધમકી આપતા હોવાનું જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech