રામ વનમાં રામ નવમીએ નિઃશુલ્ક પ્રવેશ આપવાની જાહેરાત કર્યા પછી પણ ફક્ત ૧૨૮૯ મુલાકાતીઓ આવ્યા હતા. રામ વનમાં સુવિધાઓનો વ્યાપક અભાવ હોય અને શહેરથી દૂર હોય કોઇ જતું નથી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિ:શુલ્કની પ્રવેશ આપવામાં આવેલ. જેમાં કુલ ૧૮૨૯ મુલાકાતીઓએ રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી રામવનની મુલાકાત લીધી હતી. રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશના નિર્ણયથી ૩ થી ૧૨ વર્ષના કુલ ૩૦૭ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૫૨૨ સહીત કુલ ૧૮૨૯ મુલાકાતીઓએ રામવનની નિઃશુલ્ક મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech