જી.જી.હોસ્પિટલમાં 18 દર્દીઓ ડેન્ગ્યુના કારણે કરાયા દાખલ: દરરોજ જી.જી.હોસ્5િટલમાં ડેન્ગ્યુના 20 અને તાવના 180થી વધુ કેસ જયારે ખાનગી હોસ્પિટલમાં 25 થી 30 ડેન્ગ્યુ અને તાવના 160થી વધુ કેસ નોંધાયા છે: રોગચાળાએ ભરડો લીધો
જામનગર અને ગામડાઓમાં ડેન્ગ્યુ અને તાવના કેસો હજુ પણ વધી રહ્યા છે, શિયાળો બેસી ગયો છે છતાં પણ હાલમાં ડેન્ગ્યુના 20 દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં અને 25 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે, ડોકટરોના જણાવ્યા મુજબ દરરોજ 20 થી 25 દર્દીઓ ડેન્ગ્યુ પોઝીટીવ નિકળે છે જયારે જી.જી.હોસ્પિટલમાં દરરોજ 180થી વધુ દર્દીઓ તાવ અને વાયરલ ઇન્ફેકશનના આવે છે તેમાંથી પણ અમુકને દાખલ કરવામાં આવે છે. રોગચાળાએ ભરડો લીધો છે, ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ ડેન્ગ્યુના 25 થી 30 કેસ નોંધાતા હોવાનું સર્વેમાં આવ્યું છે ત્યારે રોગચાળાએ નવાનગરને ચોકકસપણે ભરડો લીધો છે જેનાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.
જામનગર શહેર જ નહીં કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ શરદી-ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુ અને તાવના કેસો વધી રહ્યા છે. ટુંકમાં રોગચાળો વધી રહ્યો છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય. મિશ્ર ઋતુને કારણે રોગચાળો હટવાનું નામ લેતો નથી. ખાનગી હોસ્પિટલની ઓપીડી અને જી.જી.ની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ઝડપથી રોગચાળો ઓછો થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે સવારે પણ ડેન્ગ્યુથી પીડાતા અનેક દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતાં, 20 જેટલા દર્દીઓ જોવા મળ્યા હતાં, ગઇકાલે 18 થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જયારે ખાનગી હોસ્પિટલમાં તાવ અને વાયરલ ઇન્ફેકશનના 160થી વધુ અને જી.જી.હોસ્પિટલમાં 180 જેટલા દર્દીઓ ઓપીડીમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં 13થી 15દર્દીઓને દાખલ કરાયા હોવાનું બહાર આવ્યું છે. અધિક ડીન ડો.એસ.એસ.ચેટરજીના જણાવ્યા મુજબ રોગચાળો વઘ્યો છે, આજે પણ ઓપીડીમાં ડેન્ગ્યુ, તાવ અને વાયરલ ઇન્ફેકશનના કેસો જોવા મળ્યા છે જે ચિંતાજનક છે.
ખાસ કરીને જામનગર જિલ્લાના ગામડાઓમાં 40 થી વધુ ડેન્ગ્યુના કેસો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જો કે આ પ્રકારના દર્દીઓ પીએચસી કેન્દ્રમાં સારવાર લે છે અને વધુ તબીયત ખરાબ હોય તો જામનગરની જી.જી. હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં બતાવવા માટે આવે છે. જાણવા મળતી વિગત પ્રમાણે લગભગ 250થી વધુ તાવના દર્દીઓ જોવા મળ્યા છે અને તાવ તથા ડેન્ગ્યુના રોગે માજા મુકી છે ત્યારે વાયરલ ઇન્ફેકશનના કેસો પણ હજુ ઘટયા નથી, શિયાળાની અસર શ થઇ છે ત્યારે શરદી, ઉધરસના કેસોએ પણ માથુ ઉચકયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech