દેશમાં ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ ડેન્ગ્યુની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે આ ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુના નિવારણ સહિત હોસ્પિટલની તૈયારીઓમાં કોઈ ઉણપ ન રહેવી જોઈએ. જેમ જેમ વરસાદની ઋતુ નજીક આવે છે તેમ તેમ ડેન્ગ્યુનો ખતરો વધી જાય છે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાગૃત રહે તે જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોને પણ લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવવા અને પાણીનો ભરાવો ન થાય તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. આરોગ્ય સચિવે રાજ્યોને હોટ સ્પોટની ખાસ દેખરેખ સુનિશ્ચિત કરવા કહ્યું છે, જ્યાં ડેન્ગ્યુ ફેલાવાનું જોખમ વધારે છે.
ડેન્ગ્યુથી પીડિત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં ખાસ બેડની વ્યવસ્થા કરવી જોઈએ.ચોમાસાની સિઝન પહેલા સાવચેતીનાં પગલાં અને જાહેર આરોગ્યનાં પગલાં લેવાની જરૂર છે, જ્યારે ડેન્ગ્યુના કેસ સામાન્ય રીતે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરની આસપાસ ટોચ પર હોય છે.બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં કેસ દર વર્ષે વધી રહ્યા છે. જો કે ડેન્ગ્યુના કેસ સામાન્ય રીતે ઓક્ટોબરમાં ટોચ પર હોય છે, આ વર્ષનો ટ્રેન્ડ દશર્વિે છે કે 31 જુલાઈ, 2024 સુધીના કેસોની સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 50 ટકા વધારે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસ વધે
આ બેઠકમાં દિલ્હી, ગુજરાત, કણર્ટિક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, યુપી, પશ્ચિમ બંગાળના અધિકારીઓની સાથે વિવિધ રાજ્યોની મ્યુનિસિપલ કોર્પોરેશનોના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં નિર્દેશ અપાયો હતો કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના ઘણા કેસ જોવા મળે છે અને ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે.
શાળાઓ માટે ખાસ એડવાઈઝરી
શાળાઓ માટે રાજ્યોને એડવાઈઝરી પણ મોકલવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને ટેસ્ટિંગ કીટ માટે તમામ જરૂરી સહાય પૂરી પાડી છે અને ફોગિંગ અને ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશનના કામો માટે નાણાકીય સહાય પણ આપી છે. આરોગ્ય કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યોને કેન્દ્ર સરકારના નિર્દેશોને ગંભીરતાથી લેવા અને લોકોને જાગૃત કરવા જણાવ્યું છે.
હેલ્પલાઇન શ કરવા માટે આદેશ
રાજ્યએ પણ આગામી ચાર-પાંચ દિવસમાં હેલ્પલાઈન શરૂ કરવી જોઈએ તેવી તાકીદ કરાઈ છે.જેથી જો વ્યક્તિને મદદની જરૂર હોય અથવા ડેન્ગ્યુ વિશે જાણવાની જરૂર હોય તો તે વ્યક્તિને મદદ મળી શકે.બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય સહિત તમામના સહયોગથી ડેન્ગ્યુના કારણે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુના કારણે મૃત્યુદર 1996માં 3.3 ટકા હતો, જે 2023માં ઘટીને 0.17 ટકા થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech